SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ભવોપગ્રાહિકર્મકૃત ભાવો વિદ્યમાન છે, અને તે ભાવો શુદ્ધ આત્માના સ્વરૂપને દૂષિત કરનારા હોવા છતાં વીતરાગની વીતરાગરૂપે ઉપાસના કરવામાં બાધક નથી. તેથી કવલભોજનરૂપ દોષનો ખોટી રીતે વિસ્તાર કરીને અર્થાત્ લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોય ત્યાં વીતરાગતા સંભવે નહિ, એ રીતે સ્વમતિ અનુસાર વિસ્તાર કરીને, સ્વમતના કદાગ્રહથી દિગંબરો આપ્ત એવા કેવલીને દૂષણ આપે છે કે જો કેવલીભગવંત પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભોજનની ક્રિયા કરે તો તેઓ વીતરાગ છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે રાગાદિ રહિત પુરુષ ક્યારેય પણ લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે નહિ. આ પ્રકારે દિગંબરો આપ્ત એવા તીર્થકરોને દૂષિત કરીને પાપને બાંધે છે. IN૩૦મી અવતરણિકા - ચાર અતિશયવાળા કર્મકાય અવસ્થાવર્તી તીર્થકરોને મુક્તિ સ્વીકારવાથી દિગંબરો દોષ આપે છે કે શ્વેતાંબરો જે તીર્થકરોને માને છે, તે તીર્થકરો લજ્જાસ્પદ એવી પ૨દ્રવ્યની પ્રવૃત્તિ કરે છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક : कलकैः कल्पितैर्दुष्टैः स्वामी नो नैव दूष्यते । चौराद्युत्क्षिप्तधूलीभिः स्पृश्यते नैव भानुमान् ।।३१।। અન્વયાર્થ : તુષ્ટ દુષ્ટ પુરુષો વડે સ્થિતૈઃ ન=કલ્પિત એવાં કલંકોથી નો સ્વામી=અમારા સ્વામી શ્વેતાંબરના તીર્થંકર નૈવ તૂગતે દૂષિત થતા નથી જ. વોરાપ્તિધૂનમ =ચોર વગેરે વડે ફેંકાયેલી ધૂળથી માનુના=સૂર્ય સ્કૃતે નૈવત્રસ્પર્શ કરાતો નથી. [૩૧] શ્લોકાર્ચ - દુષ્ટ પુરુષો વડે કલ્પિત એવાં કલંકોથી અમારા સ્વામી શ્વેતાંબરના તીર્થકર, દૂષિત થતા નથી જ. ચોર વગેરે વડે ફેંકાયેલી ધૂળથી સૂર્ય સ્પર્શ કરાતો નથી. ll૩૧II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy