SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૨૮-૨૯ નિરાકરણ કર્યું. તેથી હવે કેવલીભગવંતને કવલભોજનમાં કોઈ બાધ અમે જોતા નથી. અહીં દિગંબર તરફથી કોઈ કહે કે કવલભોજનમાં દિગંબરે જે દોષો ઉભાવન કર્યા, તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું, તોપણ કેવલીને કવલભોજન સ્વીકારવામાં અન્ય દોષોની પ્રાપ્તિ થાય છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારના અન્ય પણ દોષો દિગંબર તરફથી કોઈ બતાવે તો જેમ પૂર્વમાં કેવલીના કવલભોજનને આશ્રયીને દિગંબરે આપેલા દોષોનું ગ્રંથકારશ્રીએ તર્કોથી નિરાકરણ કર્યું, તેમ અન્ય દોષોનું પણ ઉક્તજાતીય તર્કોથી નિરાકરણ શક્ય છે. તેથી કેવલીને ભુક્તિ છે કે નહિ તે તત્ત્વનો નિર્ણય કરવાના અર્થીએ ગ્રંથકારશ્રી દ્વારા રચાયેલ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ; કેમ કે અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથમાં દિગંબરોની મતિના ભ્રમને હરણ કરે તેવી સૂક્ષ્મ યુક્તિઓ બતાવેલ છે. ૨૮ અવતરણિકા : ભગવાનની ભક્તિને સ્વીકારવામાં દિગંબર દ્વારા અનેક દોષો પૂર્વે બતાવાયા, અને તે સર્વ દોષો ભગવાનને કેવલભોજનમાં પ્રાપ્ત થતા નથી, તેમ યુક્તિથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. આમ છતાં જેમની બુદ્ધિમાં દિગંબરના મતના સંસ્કારો અતિ ઘનિષ્ઠ છે, તેઓ માને છે કે આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तथापि ये न तुष्यन्ति भगवद्भुक्तिलज्जया । सदाशिवं भजन्तां ते नृदेहादपि लज्जया ।।२९।। અન્વયાર્થ - તથાપિ તોપણ પૂર્વે અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ કવલભોજનમાં વીતરાગતાને કોઈ બાધ નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું તોપણ, એ=જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy