SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાાિંશિકા/શ્લોક-૨૬-૨૭ ૧૦૩ માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેવલી નિયતકાળમાં જ ભોજન કરે છે, તેથી પરોપકારની હાનિ નથી. આશય એ છે કે કેવલી દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર ભોજન કરે છે, તે સિવાયના શેષકાળમાં ઉપકારનો સંભવ છે. તેથી કેવલી ભોજન કરે તેટલામાત્રથી ઉપકારની હાનિ થાય છે, તેમ કહેવું ઉચિત નથી. વસ્તુતઃ દેહધારણને અનુકૂળ કર્મ ભક્તિથી દીર્ઘ કાળ ટકી શકે છે. એથી કેવલીના દેહથી દીર્ઘ કાળ ઉપકાર થઈ શકે, માટે ભુક્તિકાળમાત્રમાં પરોપકારની હાનિનો સંભવ છે તેવી કલ્પના કરીને, કેવલી ભક્તિ કરતા નથી તેમ માનવું ઉચિત નથી. (૧૪) પુરીષાદિની જુગુપ્સાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - દિગંબરો કહે છે કે જો કેવલી ભોજન કરે તો ભોજનથી શરીરમાં મળ ઉત્પન્ન થાય તેવી વિષ્ટા આદિની પ્રવૃત્તિમાં કેવલીને જુગુપ્સા થવાનો સંભવ છે, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેવલી ક્ષીણજુગુપ્સામોહનીયકર્મવાળા છે. તેથી ભુક્તિને કારણે પોતાના મળને જોઈને કેવલીને જુગુપ્સા થવાનો સંભવ નથી. IIરકા અવતરણિકા - શ્લોક-૨૬માં કહ્યું કે નિર્મોહી એવા કેવલીભગવંતને પોતાના પુરીષાદિ પ્રત્યે જુગુપ્સા થતી નથી. ત્યાં દિગંબર કહે છે કે કેવલીભગવંતને ક્ષીણગુપ્સામોહનીયકર્મ હોવાને કારણે પોતાના પુરીષાદિ પ્રત્યે જુગુપ્સા ન થાય, પરંતુ કેવલીના પુરીષાદિને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવાનો સંભવ છે, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - બ્લોક : ततोऽन्येषां जुगुप्सा चेत्सुरासुरनृपर्षदि । नाग्न्येऽपि न कथं तस्यातिशयश्चोभयोः समः ।।२७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy