SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૨૩ થાય, અને તેવું પરમદારિક શરીર ભક્તિ વગર દીર્ઘ કાળ ટકી શકે નહિ; કેમ કે ચિરકાળ એવા ઔદારિક શરીરની સ્થિતિ ભક્તિથી પ્રયોજ્ય છે. આશય એ છે કે ચિરકાળ રહેનારું દારિક શરીર જેમ આયુષ્યથી ટકે છે, તેમ ભુક્તિ પણ ચિરકાળ રહેનારા એવા ઔદારિક શરીરને ટકાવવામાં પ્રયોજક છે. અહીં પ્રશ્ન થાય કે ચિરકાળનું આયુષ્ય હોય તો ચિરકાળ દેહ ટકી શકે, અને ચિરકાળનું આયુષ્ય ન હોય તો ચિરકાળ દેહ ટકી શકે નહિ, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – સામાન્યથી ભક્તિનું પુદ્ગલવિશેષના ઉપચયનું વ્યાપારકપણું છે. પુદ્ગલ વિશેષના ઉપચયના વ્યાપારથી જ દેહ લાંબો સમય ટકી શકે છે; કેમ કે વનસ્પતિ આદિની પણ જલાદિના ગ્રહણ દ્વારા જ ચિરકાળ સ્થિતિ દેખાય છે, અને જો જલાદિ ન મળે તો વનસ્પતિ આદિ શીધ્ર નાશ પામે છે. તેથી દેહની ચિરકાળ સ્થિતિમાં જેમ આયુષ્યકર્મ આવશ્યક છે, તેમ પુદ્ગલવિશેષનો ઉપચય પણ આવશ્યક છે, અને તે પુદ્ગલવિશેષનો ઉપચય ભક્તિથી થાય છે. વળી જો કેવલી ભોજન ન કરે તો દીર્ઘ કાળનું આયુષ્ય હોય તો પણ તેમનું શરીર દીર્ઘ કાળ ટકી શકે નહિ, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શરીરની વિશેષ સ્થિતિમાં પુદ્ગલના ગ્રહણનું પણ હેતુપણું છે, તેથી પુદ્ગલના ગ્રહણ વગર કેવલીના શરીરની સ્થિતિ કોઈ પણ રીતે સંભવે નહિ. અહીં દિગંબર કહે કે આહારથી શરીરની દીર્ઘ કાળ સ્થિતિ દેખાય છે, તે કેવલજ્ઞાનના અકાળમાં પર્યવસિત એવા પરમઔદારિકથી ભિન્ન શરીરને આશ્રયીને છે, તેથી પરમઔદારિક શરીરવાળા એવા કેવલીનું શરીર ભક્તિ વગર પણ ટકી શકે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – કેવલજ્ઞાનના અકાળમાં પર્યવસિત એવા વિશેષણવાળું શરીર પરમઔદારિકથી ભિન્ન છે, અને કેવલજ્ઞાનના કાળમાં વર્તતું શરીર પરમઔદારિક છે, તેવા પરમઔદારિક શરીરને ભક્તિની આવશ્યકતા નથી, તેમ કહેવું અપ્રામાણિક છે; કેમ કે કેવલી ભોજન કરતા નથી, તે વસ્તુ નક્કી કરીને કેવલજ્ઞાનના પૂર્વનું શરીર ભક્તિથી ટકે છે, તેમ સ્થાપન કરવું, તે સ્વમતના આગ્રહ સિવાય સ્વીકારી શકાય નહિ. જ્યારે યુક્તિથી પદાર્થની વિચારણા કરવામાં આવતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy