SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ કેવલિભક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૧૯ ભાવાર્થ - (૯) આહારકથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે આહારકથાથી પ્રમાદ થાય છે, તેથી આહારપ્રવૃત્તિથી તો સુતરાં પ્રમાદ થાય છે, તેમ માનવું પડે; કેમ કે જેની કથામાત્રથી પણ પ્રમાદ થતો હોય તેની પ્રવૃત્તિથી તો અત્યંત પ્રમાદ થાય, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આહારકથાથી સર્વત્ર પ્રમાદ થાય છે તેવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ જેમને આહારની પ્રવૃત્તિમાં રાગ છે, તેમને આહારની કથામાં પણ રસ હોય છે; અને તેવા જીવો રસપૂર્વક આહારકથા કરે ત્યારે આહારકથાના કાળમાં આહાર પ્રત્યેનો પ્રતિબંધ વધે તેવી ઇચ્છાના સંસ્કારો વધે છે, તેથી આહારકથાથી પ્રમાદ થાય છે; પરંતુ જેમને આહારકથામાં પ્રતિબંધ નથી, તેમને આહારકથાથી પણ પ્રમાદ થતો નથી. કેમ પ્રમાદ થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે – કોઈ પણ કથા વિપરિણામરૂપે પરિણમન પામે ત્યારે તે કથાનો વિપરિણામ અકથા અને વિકથારૂપ પરિણામભેદથી થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ ૯મી કથા બત્રીશીના શ્લોક-૨૧માં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેમને આહારકથામાં રસ છે, તેમને આહારકથા તે પ્રકારની રસવૃદ્ધિનું કારણ બને છે; પરંતુ જેમને આહારકથામાં રસ નથી, તેઓ કોઈક તેવા પ્રસંગમાં આહારનું કથન કરે તો તે આહારકથા અકથારૂપે પરિણમન પામે છે અર્થાત્ તે આહારની કથાથી કોઈ પ્રકારના રાગનો પરિણામ થતો નથી, ફક્ત પ્રાસંગિક કથનરૂપે તે કથન થાય છે. જેમ કોઈ આરાધક જીવે ઉપવાસ કરેલ હોય અને ઘરના તથાવિધ સંયોગને કારણે કોઈ આહારવિષયક કથન કરે તો તે આહારકથાથી તે આહાર સંબંધી કોઈ પરિણામ થાય નહિ, તો તે આહારકથા અકથારૂપે પરિણમન પામેલ છે, જે આહારકથાનો વિપરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy