SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૯ વળી આહારકથા કોઈક યોગ્ય જીવને વૈરાગ્યનું કારણ બને તો તે આહારકથાનો વિકથારૂપ પરિણામભેદ છે; કેમ કે આહારકથાનું પ્રયોજન આહારવિષયક રસની વૃદ્ધિ છે, તેને બદલે આહારકથાની પ્રવૃત્તિ આહારવિષયક રસગૃદ્ધિના સ્થાને વિપરીત એવા વૈરાગ્યની વૃદ્ધિનું કારણ બની. તેથી તે આહારકથાનો વિકથારૂપ પરિણામ છે. આનાથી એ ફલિત થયું કે કેટલાકને આહારકથા અકથારૂપે પરિણમન પામે છે ત્યારે પ્રમાદ થતો નથી, અને કેટલાકને આહારકથા વિકથારૂપે=વિપરીત કથારૂપે, પરિણમન પામે છે ત્યારે પ્રમાદ તો થતો નથી, પરંતુ વિકથારૂપે પરિણમન પામે છે ત્યારે વૈરાગ્ય થવાને કારણે પ્રમાદથી વિપરીત એવા અપ્રમાદની વૃદ્ધિ થાય છે. માટે દિગંબરો કહે છે કે આહારકથાથી પ્રમાદ થાય છે માટે કેવલી કવલભોજન કરતા નથી, એ વચન અસંગત છે. વળી આહારમાં જેમને પ્રતિબંધ નથી, તેવા સુમુનિઓને પણ ભુક્તિથી પ્રમાદ થતો નથી, તેમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી કેવલીને તો સુતરાં ભક્તિથી પ્રમાદની વૃદ્ધિ થવાનો સંભવ નથી. અહીં સુમુનિને પ્રમાદ થતો નથી, તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જે મુનિઓએ અસંગભાવથી આત્માને અત્યંત ભાવિત કર્યો છે, તેવા સમુનિઓ આહારાદિમાં પ્રવૃત્તિ કરે ત્યારે તે આહારનાં પુદ્ગલોકૃત લેશ પણ પરિણામ થતો નથી; જ્યારે અન્ય આરાધક સાધુને આહારની પ્રવૃત્તિકાળમાં આત્મા અત્યંત ભાવિત ન હોય તો તે આહારનાં પુદ્ગલોકૃત કાંઈક સંશ્લેષ પણ થાય છે; પરંતુ એવા ઉત્તમ મુનિઓ થયા છે કે જેઓને આહારગ્રહણથી લેશ પણ સંશ્લેષ થતો નથી, પરંતુ આહારની પ્રવૃત્તિના કાળમાં જ સંવેગની વૃદ્ધિ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તેમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી ભક્તિથી પ્રમાદ થાય છે તે વચન પણ દિગંબરોનું મિથ્યા છે. અહીં દિગંબર એમ કહે કે આત્માથી ભિન્ન એવા આહારગ્રહણમાં કે વસ્ત્રાદિગ્રહણમાં યોગનો વ્યાપાર સર્વથા ઉપર=અભાવ, પામે તો જ અપ્રમત્તભાવ આવે, તે દિગંબરનું વચન યુક્ત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy