SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ટીકાર્ય : आहारकथया કૃતિ ભાવઃ, આહારકથાથી પ્રતિબંધને કારણે= આહારવિષયક રાગને કારણે, તેવા પ્રકારના આહારની ઇચ્છાના સંસ્કારની પ્રવૃદ્ધિ હોવાથી=આહાર પ્રત્યે પક્ષપાત વધે તેવા પ્રકારના આહારવિષયક ઇચ્છાના સંસ્કારની પ્રવૃદ્ધિ હોવાથી, પ્રમાદ થાય છે; પરંતુ અન્યથા પણ નહિ=પ્રતિબંધ વગર તેવા કોઈક પ્રસંગે આહારની વાત કરવામાત્રથી પણ પ્રમાદ થતો નથી; કેમ કે વિપરિણામના પરિણામભેદથી-કથાના વિપરીત પરિણામના પરિણામભેદથી, અકથા અને વિકથાનું વ્યવસ્થિતપણું છે, અને તેના અભાવમાં=પ્રતિબંધના અભાવમાં, ભુક્તિથી સુમુનિને પણ= ઉત્તમ સાધુને પણ, પ્રમાદ સંભળાતો નથી જ, તો વળી ભગવાનને શું ? અર્થાત્ ભગવાનને સુતરાં પ્રમાદ સંભળાતો નથી, એ પ્રકારે ભાવ છે. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ અહીં દિગંબર કહે કે આત્માથી ભિન્ન એવા પરપદાર્થવિષયક યોગવ્યાપારમાત્રના અભાવમાં જ અપ્રમત્તગુણસ્થાનક છે. તેથી આત્માથી ભિન્ન એવી આહારવિષયક પુદ્ગલની પ્રવૃત્તિ હોતે છતે અપ્રમત્તગુણસ્થાનક સંભવે નહિ. માટે આહારની પ્રવૃત્તિથી સુમુનિને પણ પ્રમાદનો સંભવ છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે बहिर्योगव्यापार વિરોધાવિત્તિ ।। બહિર્યોગવ્યાપારમાત્રના ઉપરમમાં જ=આત્માથી ભિન્ન એવા આહારવિષયક કે વસ્ત્રવિષયક યોગના વ્યાપારમાત્રના અભાવમાં જ, અપ્રમત્તપણાનો લાભ છે, એ પ્રમાણે વળી દિગંબર કહે છે તે યુક્ત નથી; કેમ કે આરબ્ધ એવા તેનું=આરબ્ધ એવા આહારવિષયક બહિયેંગનું, ત્યાં=આહારાદિ પ્રવૃત્તિના વિષયમાં, અસંગપણાથી નિષ્ઠાનો અવિરોધ છે. ***** Jain Education International રૂતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિ સૂચક છે. ।૧૯।। * ન ત્ત્તન્યપિ - અહીં પ થી એ કહેવું છે કે આહા૨કથામાં પ્રતિબંધ હોય તો તો પ્રમાદ થાય છે, પરંતુ અન્યથા પણ=પ્રતિબંધ વગર પણ પ્રમાદ થતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy