SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૮ અનુકૂળ પોતાના પુરુષકારને દેવ ઉપઘાત કરે છે, તેમ કહેવાય નહીં, પરંતુ તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યક ઉદ્યમ કરતો હોય અને ધનપ્રાપ્તિ ન થાય, ત્યારે કહી શકાય કે ધનપ્રાપ્તિને અનુકૂળ ક્રિયાથી પ્રતિબદ્ધ એવું દૈવ, ધનપ્રાપ્તિને અનુકૂળ વ્યાપારને ખુલના કરે છે. વળી કોઈ પુરુષ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ભાવચારિત્રનો અર્થી હોય અને પોતાનું ચારિત્રમોહનીયકર્મ તૂટે તદર્થે શાસ્ત્રવિધિ અનુસાર દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરતો હોય, ત્યારે ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ એવા વ્યાપારથી તે પુરુષનું ચારિત્રમોહનીયકર્મ પ્રતિબદ્ધ છે, આમ છતાં તેના દ્રવ્યસ્તવથી આ ભવમાં ચારિત્રમોહનીયકર્મ તૂટે નહીં તો કહી શકાય કે “આ પુરુષનું ચારિત્રમોહનીયકર્મ ચારિત્રને અનુકૂળ ઉદ્યમમાં અલના પમાડે છે'; પરંતુ કોઈક પુરુષ ચારિત્રમોહનીયકર્મ તોડવાના લક્ષ્યને સામે રાખીને તે રીતે, દ્રવ્યસ્તવમાં ઉદ્યમ ન કરતો હોય, અને કહે કે “મારું ચારિત્રમોહનીયકર્મ મને ચારિત્ર પ્રાપ્ત થવા દેતું નથી', તો તે કથન ઉપચારથી કહી શકાય. વસ્તુતઃ ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ તેનો વ્યાપાર નથી. તેથી તે વ્યાપારને ચારિત્રમોહનીયકર્મ ઉપઘાત કરે છે, તેમ કહી શકાય નહીં; કેમ કે તેનો વ્યાપાર અન્ય પ્રવૃત્તિમાં છે પરંતુ ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ નથી. માટે જીવક્રિયાથી અપ્રતિબદ્ધ એવું ચારિત્રમોહનીયકર્મ તેના ચારિત્રની પ્રાપ્તિના વ્યાપારનો ઉપઘાત કરે છે તેમ કહી શકાય નહીં. વળી, કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન કરતો હોય ત્યારે તે કાર્યને અનુકૂળ એવું દેવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ છે, અને જ્યારે કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન ન કરતો હોય ત્યારે તે કાર્યને અનુકૂળ એવું દૈવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ નથી, અને જે વખતે જીવ તે કાર્યને અનુકૂળ ક્રિયા ન કરતો હોય ત્યારે જીવની ક્રિયાથી અપ્રતિબદ્ધ એવું કેવળ દેવ, જીવના પુરુષકારને કાર્યનિષ્પત્તિ કરવામાં તત્ત્વથી અનુગ્રહ કરનારું થતું નથી; કેમ કે જીવની ક્રિયાની સહાયતા વગરનું દેવ અભિપ્રેત કાર્યને કરવા માટે સમર્થ નથી. જેમ કોઈ પુરુષનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાતા યત્નને અનુગ્રહ કરે તેવું હોય, આમ છતાં ધનપ્રાપ્તિના ઉદ્યમથી પ્રતિબદ્ધ દૈવ ન હોય ત્યારે, ધનપ્રાપ્તિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy