________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯
૭૯ અનુકૂળ પોતાના પુરુષકારને દૈવ અનુગ્રહ કરે છે, તેમ કહેવાય નહીં, પરંતુ તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યફ ઉદ્યમ કરતો હોય અને ધનપ્રાપ્તિ થાય, ત્યારે કહી શકાય કે “ધનપ્રાપ્તિને અનુકૂળ ક્રિયાથી પ્રતિબદ્ધ એવું દેવ ધનપ્રાપ્તિને અનુકૂળ વ્યાપારને અનુગ્રહ કરે છે.”
વળી કોઈ પુરુષ ભાવચારિત્રનો અત્યંત અર્થી હોય, અને તેની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તેના ઉપાયભૂત દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરતો હોય, તે વખતે તે પુરુષને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમભાવ હોય, ભાવચારિત્રના પરમાર્થનો બોધ કરાવે તેવો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ હોય, અને ચારિત્રમોહનીયકર્મ શિથિલ હોય, તો દ્રવ્યસ્તવના બળથી ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ વીયૅલ્લાસ થઈ શકે ત્યારે, દર્શનમોહનીયકર્મના અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉપઍહિત એવું સોપક્રમ ચારિત્રમોહનીયકર્મ તેને ચારિત્રની પ્રાપ્તિમાં અનુગ્રહ કરનારું છે, એમ કહી શકાય; અને તે પુરુષ જો સ્વશક્તિ અનુસાર ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ ઉદ્યમ ન કરતો હોય, તો તેનું સોપક્રમભાવવાળું પણ ચારિત્રમોહનીયકર્મ તેને ચારિત્રની પ્રાપ્તિ માટે અનુગ્રહ કરનારું બને નહીં; કેમ કે કાર્યને અનુકૂળ જીવવ્યાપારથી અપ્રતિબદ્ધ એવું કર્મ કાર્યનિષ્પત્તિમાં જીવવ્યાપારને અનુગ્રહ કરનારું છે, તેમ કહી શકાય નહીં. આનાથી એ ફલિત થાય કે કર્મથી પુરુષકારનો અનુગ્રહ થાય છે અથવા ઉપઘાત થાય છે માટે કાર્ય માત્ર પ્રત્યે કેવલ કર્મ કારણ નથી, પરંતુ દેવ અને પુરુષકાર અન્યોન્ય અપેક્ષાથી કારણ છે. II૧૮ અવતરણિકા :
શ્લોક-૧૮માં કહ્યું કે જીવક્રિયાથી પ્રતિબદ્ધ એવું કર્મ હોય તો દેવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાતાદિ ઘટે છે. હવે તે કથન કઈ રીતે સ્વીકારવાથી યુક્તિસંગત થાય ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
उभयोस्तत्स्वभावत्वे तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्सम्यग्न्यायाविरोधतः ।।१९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org