________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮ (अनुगृहीतुं) वा क्षमं, असहायत्वात्, स्वव्यापारगतत्वे तु-जीवक्रियाप्रतिबद्धत्वे पुन:, तस्य कर्मणः, एतदपि परस्परोपघातादि युज्यते ।।१८।। ટીકાર્ચ -
કેવળ જ કર્મ વડ–દેવ વડે કર્મમાત્રનો કેવળ જ કર્મનો પુરુષકારમાત્રનો, તત્વથી=અનુપચારથી, ઉપઘાતાદિ ઉપઘાત-અનુગ્રહ નથી.
કેવળ જ કર્મથી=દેવથી પુરુષકારનો ઉપઘાત-અનુગ્રહ કેમ નથી ? તે સ્પષ્ટ કરે છે –
કેવળ દેવ કોઈને ઉપહનન કરવા માટે અથવા અનુગ્રહ કરવા માટે સમર્થ નથી જ; કેમ કે અસહાયપણું છે. વળી સ્વવ્યાપારગતપણું હોતે છતે જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે=જીવની ક્રિયા સાથે દેવનું પ્રતિબદ્ધપણું હોતે છતે, તેનું કર્મનું, દેવનું, આ પણ=પરસ્પર ઉપઘાતાદિ પણ, ઘટે છે. ૧૮
નોંધ - ટીકામાં ‘નિJદીતું ના સ્થાને “મનુJણીતું' પાઠ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ :પ્રયત્ન વગર માત્ર કર્મ, કાર્ય કરવા અસમર્થ :
કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન કરતો હોય ત્યારે તે કાર્યને પ્રતિકૂળ એવું દૈવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ છે, એમ કહેવાય, અને કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન ન કરતો હોય ત્યારે તે કાર્યને પ્રતિકૂળ એવું દેવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ નથી, એમ કહેવાય. આ પ્રકારનો નિયમ છે. આ રીતે કોઈ જીવ વિવક્ષિત કાર્યને ઉદ્દેશીને પણ યથાતથા યત્ન કરતો હોય ત્યારે તેનો યત્ન કાર્યને અનુકૂળ નથી તેથી તેનું દૈવ જીવની ક્રિયાથી અપ્રતિબદ્ધ છે માટે તે કાર્યની નિષ્પત્તિમાં ઉપઘાતક એવું દૈવ જીવના પુરુષકારને કાર્યનિષ્પત્તિ કરવામાં ઉપઘાત કરનારું છે તેમ કહી શકાય નહીં.
જેમ કોઈક પુરુષનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાતા યત્નને ખુલના કરાવે તેવું હોય, અને ધનપ્રાપ્તિનો ઉદ્યમ તે પુરુષ ન કરતો હોય, તો ધનપ્રાપ્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org