________________
૭૫
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૭-૧૮ વમનરૂપ ઝેર તેના કુષ્ટરોગનું ઔષધ હતું. તેથી વમનના ભક્ષણથી તેનો રોગ તત્કાળ નાશ પામે છે. આ સ્થાનમાં મૃત્યુ માટે કરાયેલા પ્રયત્નનું હનન કરીને બળવાન એવું દેવ તેના આરોગ્યની પ્રાપ્તિનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે જે બળવાન હોય તે નિર્બળને હણે છે, એવો કાર્યકારણભાવ સ્વીકારવાથી દેવ અને પુરુષકાર ગૌણ-મુખ્ય ભાવથી કારણ છે, એ પ્રકારની વ્યવહારનયની માન્યતામાં વ્યભિચારની પ્રાપ્તિ થાય; કેમ કે આવા સ્થાનમાં કાર્યની નિષ્પત્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર બને કારણ નથી, પરંતુ દેવ અને પુરુષકારમાંથી જે બળવાન છે, તે નિર્બળને હણીને કાર્ય કરે છે. તેથી કાર્ય પ્રત્યે દૈવ-પુરુષકારમાંથી જે બળવાન છે, તે કારણ છે, પરંતુ દેવ અને પુરુષકાર બંને કારણ નથી. તેથી બંને પરસ્પરની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, એ પ્રકારના સ્વીકારની ક્ષતિ છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેનો પ્રતિઘાત થાય છે, તે પ્રતિઘાતનો પ્રતિયોગી કહેવાય. તેથી પ્રતિઘાતના પ્રતિયોગીપણારૂપે તેનું અસ્તિત્વ પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ છે; કેમ કે દેવ અને પુરુષકારમાંથી નિર્બળ એવા દેવ કે પુરુષકાર ઉપસ્થિત ન હોય તો તેનો પ્રતિઘાત કર્યા વગર બળવાન પણ કારણ કાર્ય કરી શકે નહીં. આથી કાર્યની નિષ્પત્તિમાં પ્રતિબંધક એવા નિર્બળ દેવ કે પુરુષકારનો પ્રતિઘાત કરીને દેવ કે પુરુષકારમાંથી કોઈ એક દ્વારા કાર્ય થાય છે, તે સ્થાનમાં નિર્બળ કારણ પ્રતિયોગીરૂપે ઉપસ્થિત છે, તે અપેક્ષાએ પ્રતિયોગી ગૌણ કારણ છે.
આનાથી એ ફલિત થાય કે કેટલાક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક અનુત્યુટરૂપે સહકારી હોય છે અર્થાત્ અનુત્કટપણાથી કારણ હોય છે, અને કેટલાક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક પ્રતિઘાતના પ્રતિયોગીરૂપે કારણ હોય છે અર્થાત્ પ્રતિયોગીપણાથી કારણ હોય છે. આથી જ મોક્ષરૂપ કાર્ય પ્રત્યે યોગનિરોધરૂપ પુરુષકારથી અવશિષ્ટ કર્મનો નાશ થાય છે. તે સ્થાનમાં નાશના પ્રતિયોગી એવા કર્મો ગૌણરૂપે મોક્ષ પ્રત્યે કારણ છે. આવા અવતરણિકા -
શ્લોક-પ-૬માં બતાવ્યું કે કોઈક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક અનુત્યુટરૂપે કારણ હોય છે, તો કોઈ અન્ય ઉત્કટરૂપે કારણ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org