________________
ભુજ
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ એક વડે અત્યના પ્રતિઘાતમાં પણ દેવ અને પુરુષકાર બંનેમાંથી એક વડે અચના પ્રતિઘાતમાં પણ, અત્યની પ્રતિયોગીપણારૂપે અપેક્ષા હોવાથી ફક્ત પ્રતિહતપણું હોવાથી જ=નિર્બળ એવા અત્યનું પ્રતિહતપણું હોવાથી જ, પ્રતિઘાત પ્રતિયોગીપણારૂપે ગૌણત્વ માત્ર થાય=નિર્બળ એવા અવ્યનું પ્રતિઘાતના પ્રતિયોગીપણારૂપે ગૌણપણું માત્ર થાય, એ પ્રમાણે જાણવું. I૧૭ના
પુના પ્રતિઘાતેડા' - અહીં“પ” થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાંથી એક દ્વારા અન્યનો પ્રતિઘાત ન થતો હોય, પરંતુ અન્ય સહાયક થતું હોય ત્યારે તો અનુત્કટપણારૂપે અન્ય ગૌણ છે, પરંતુ દેવ અને પુરુષકારમાંથી એક દ્વારા અન્યનો પ્રતિઘાત થતો હોય ત્યારે પણ પ્રતિઘાત-પ્રતિયોગીપણારૂપે અન્યનું ગૌણપણું છે. ભાવાર્થ :દેવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને ખલના કરે તેની યુક્તિ -
દેવ અને પુરુષકારમાંથી કેટલાંક સ્થાનોમાં કાર્યની નિષ્પત્તિમાં કર્મ વિજ્ઞભૂત હોય છે, તે વખતે બળવાન પુરુષકારથી કર્મનું હનન થઈ શકે છે. જેમ સુબુદ્ધિ મંત્રીએ પોતાના કુટુંબના વિનાશને અનુકૂળ ઉપસ્થિત થયેલ કર્મને સ્વબુદ્ધિના બળથી હનન કરીને કુટુંબનું રક્ષણ કર્યું, તે સ્થાનમાં કુટુંબના વિનાશ માટે ઉપસ્થિત કર્મનું બળવાન પુરુષકારથી હનન થયું.
કોઈક સ્થાનમાં કાર્યથી વિપરીત પુરુષકાર હોય ત્યારે બળવાન દેવથી પુરુષકારનું હનન થાય છે. જેમ કુષ્ઠ રોગથી અભિભૂત થયેલ કોઈ બ્રાહ્મણ મૃત્યુની ઇચ્છાથી કોઈ પર્વત ઉપર ચડીને ઝુંપાપાત કરવા અર્થે જાય છે, ઉનાળાનો મધ્યાહ્ન કાળનો સમય થયો છે, તે જઈ રહ્યો છે, તેવામાં તેની સન્મુખ આવતા એક સર્પને તે જુએ છે અને વિચારે છે, આ સર્પને હું ગ્રહણ કરું, જેથી મારું શીધ્ર મૃત્યુ થાય, અને મૃત્યુના આશયથી તે સર્પની સન્મુખ જાય છે, ત્યારે તેના શરીરની દુર્ગધથી ત્રસ્ત થઈને સર્પ વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બ્રાહ્મણ પણ સર્પની પાછળ દોડે છે અને ભાગતાં ભાગતાં શ્રાંત થયેલો સર્પ કોઈક મનુષ્યના મસ્તકની ખોપરીમાં વમન કરે છે. સર્પની પાછળ દોડતો બ્રાહ્મણ વિચાર કરે છે કે “આ સર્પના વમનનું ભક્ષણ હું કરીશ તો મારું મૃત્યુ અવશ્ય થશે” વસ્તુતઃ આ રીતે મનુષ્યની ખોપરીમાંથી પ્રાપ્ત થયેલ સર્પનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org