________________
દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૧૬-૧૭
૭૧ નરકાદિ દુઃખોના પ્રાગભાવનો પણ પ્રાયશ્ચિત્તથી નાશ થઈ શકે નહીં. તેથી અદૃષ્ટને સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તવિધિને વ્યર્થ માનવાનો પ્રસંગ આવે.
અહીં પૂર્વપક્ષી કહે કે ઘટનો પ્રાગભાવ ઘટ ઉત્પન્ન થાય ત્યારે નાશ પામે છે, તેમ નરકાદિ દુઃખોનો પ્રાગભાવ પણ નરકાદિ દુઃખો ઉત્પન્ન થાય ત્યારે નાશ પામે છે. તેની જેમ નરકાદિ દુઃખોની ઉત્પત્તિ પૂર્વે પ્રાયશ્ચિત્તવિધિથી પણ નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ થઈ શકે છે, તેમ સ્વીકારી શકાય. અહીં નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી ન થઈ શકે, તેમાં ગ્રંથકારશ્રી અન્ય હેતુ બતાવે છે –
પ્રાગભાવ પ્રતિયોગીનો જનક છે' તેવો નિયમ હોવાને કારણે પ્રાગભાવથી જન્ય નરકાદિ દુઃખોની ઉત્પત્તિની આપત્તિ આવે.
આશય એ છે કે ઘટનો પ્રાગભાવ નિયમ ઘટને ઉત્પન્ન કરે છે, આવો નિયમ છે; કેમ કે કાર્યથી પ્રાગભાવનું અનુમાન થાય છે. તેથી જ્યાં જ્યાં કાર્ય થાય છે, ત્યાં ત્યાં કાર્ય પૂર્વે પ્રાગભાવ છે તેમ મનાય છે માટે “પ્રાગભાવ હંમેશાં પ્રાગભાવના પ્રતિયોગી એવા કાર્યને અવશ્ય ઉત્પન્ન કરે', આ પ્રકારનો નિયમ છે. માટે જે પુરુષે નિષિદ્ધનું સેવન કર્યું છે, તે પુરુષમાં નરકાદિ દુઃખોનો પ્રાગભાવ છે, તેમ સ્વીકારવામાં આવે તો, તે પ્રાગભાવ નરકાદિ દુઃખોને અવશ્ય ઉત્પન્ન કરશે. માટે નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, તેમ સ્વીકારી શકાય નહીં. તેથી અદૃષ્ટને સ્વીકાર્યા વિના શાસ્ત્રમાં કહેવાયેલી પ્રાયશ્ચિત્તવિધિ વ્યર્થ છે, તેમ માનવાનો પ્રસંગ આવે.
આનાથી એ ફલિત થયું કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન અદૃષ્ટને ઉત્પન્ન કરીને ફળ આપે છે, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ આપતું નથી. ll૧છા અવતરણિકા :
શ્લોક-પમાં કહ્યું કે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારમાંથી કોઈક ગોણરૂપે તો કોઈક મુખ્યરૂપે હેતુ છે, તેમ વ્યવહારનય માને છે. ત્યારપછી કોઈક કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી જે અનુત્કટ હોય તે ગૌણ છે અને જે ઉત્કટ હોય તે મુખ્ય છે, તેમ બતાવીને દેવ અને પુરુષકાર પરસ્પર ગૌણ-મુખ્યભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org