SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છo દેવપુરુષકારદ્વાચિંચિકા/શ્લોક-૧૬ પ્રાયશ્ચિત્તનું વિધાન છે તે નિરર્થક સિદ્ધ થાય. વળી, પ્રાયશ્ચિત્ત અધર્મનો નાશ કરીને જ ફળ આપનાર છે=પ્રાયશ્ચિત્ત અધર્મનો નાશ કરીને જ અધર્મના અનર્થથી રક્ષણ કરનાર છે, અને અહીં અધર્મ એ જ પાપરૂપ અદૃષ્ટ છે. તેથી પાપસેવનથી અદષ્ટ ઉત્પન્ન થતું નથી, તેમ સ્વીકારવામાં આવે તો પ્રાયશ્ચિત્તને કહેનારાં શાસ્ત્રવચનોનો અપલોપ થાય. અહીં પૂર્વપક્ષી કહે કે પાપનું ફળ નરકાદિ દુઃખો છે, તે નરકાદિ દુઃખોરૂપ ફળનું નિવારણ પ્રાયશ્ચિત્ત કરે છે. માટે પ્રાયશ્ચિત્તને વ્યર્થ માનવાનો પ્રસંગ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે -- પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષ જ્યારે પ્રાયશ્ચિત્ત કરે છે, તે વખતે પોતાના સેવાયેલા પાપનું નરકાદિ ફળ પ્રાપ્ત થયું નથી, તેથી અપ્રાપ્ત એવાં નરકાદિ દુઃખોના ફળનો પ્રાયશ્ચિત્ત નાશ કરી શકે નહીં. જેમ ભવિષ્યમાં ઘડો ઉત્પન્ન થવાનો છે, તેનો નાશ વર્તમાનમાં દંડથી થઈ શકે નહીં, પરંતુ વર્તમાનમાં ઘડો વિદ્યમાન હોય તો દંડથી તેનો નાશ થઈ શકે; તેમ નરકાદિ દુઃખો હજુ પ્રાપ્ત થયાં નથી, તે દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે નહીં, પરંતુ નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી બંધાયેલા અને વર્તમાનમાં વિદ્યમાન અદષ્ટ એવા અશુભ કર્મનો પ્રાયશ્ચિત્તથી નાશ થઈ શકે. માટે પ્રાયશ્ચિત્તની સંગતિ કરવા અર્થે પણ અદૃષ્ટને સ્વીકારવું જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થઈ નથી, તોપણ નરકાદિ દુઃખોનો પ્રાગભાવ વિદ્યમાન છે, અને જે પુરુષ પૂર્વના કરાયેલા પાપની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત કરે તે પ્રાયશ્ચિત્તથી દુઃખોના પ્રાગભાવનો નાશ થશે. તેથી પ્રાયશ્ચિત્ત કરનારને નરકાદિ ફળની પ્રાપ્તિ થશે નહીં. આ રીતે અદૃષ્ટ સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તની સંગતિ પૂર્વપક્ષી કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દુઃખનો પ્રાગભાવ પણ પ્રાયશ્ચિત્તથી અસાધ્ય છે અર્થાત્ ભાવાત્મક પદાર્થ પ્રયત્નથી નાશ કરી શકાય, અભાવાત્મક પદાર્થનો પ્રયત્નથી નાશ થઈ શકે નહીં. જેમ ઘટ વિદ્યમાન હોય તો ઘટનો નાશ દંડથી થઈ શકે, પરંતુ ઘટનો પ્રાગભાવ તે ભાવાત્મક પદાર્થ નથી, તેથી તેનો નાશ દંડથી થઈ શકે નહીં. તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy