________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
૬૯
તે પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. તેનું નિરાકરણ કરવા માટે અન્ય હેતુ કહે છે
દુઃખના પ્રાગભાવનું પણ અસાધ્યપણું છે=નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનના ફળરૂપે પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોના પ્રાગભાવનું પણ પ્રાયશ્ચિત્તવિધિથી અસાધ્યપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ અદૃષ્ટના સ્વીકારના મતમાં પ્રાયશ્ચિત્તવિધિથી અદૃષ્ટનો નાશ થઈ શકે છે, તેમ અમારા મતમાં પ્રાયશ્ચિત્તવિધિથી દુ:ખના પ્રાગભાવનો નાશ થઈ શકે છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે
અને પ્રાગભાવનો પ્રતિયોગીજનકત્વનો નિયમ હોવાને કારણે તજ્જન્ય દુ:ખની ઉત્પત્તિની આપત્તિ છે. ‘કૃતિ’=એ પ્રકારના કથનવિષયક=શ્લોક૧૬માં કહ્યું એ પ્રકારના કથનવિષયક, અન્યત્ર વિસ્તાર છે. ।।૧૬।।
* ‘નરવિદુઃલ્લાનાં’ - અહીં‘વિ’ થી તિર્યંચનાં કે મનુષ્યનાં દુ:ખો ગ્રહણ કરવાં. * ‘દુઃવપ્રાગમાવસ્યાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રાયશ્ચિત્તવિધિથી અપ્રાપ્ત એવાં નરકાદિ દુ:ખોનો ઉચ્છેદ તો અસાધ્ય છે, પરંતુ તે નરકાદિ દુઃખોનો પ્રાગભાવ પણ અસાધ્ય છે.
ભાવાર્થ:
વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપે છે, તેમ સ્વીકારીને અદ્દષ્ટનો અપલાપ કરવામાં આવે તો શાસ્ત્રકારોએ પાપ કરનારને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનું કથન કર્યું છે, તે સંગત થાય નહીં; કેમ કે જો અદૃષ્ટ સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે જે જીવે પાપ કર્યું છે, તેનાથી તેના આત્મામાં અદષ્ટ ઉત્પન્ન થયું છે, અને પ્રાયશ્ચિત્તવિધિ દ્વારા તેનો નાશ થાય છે.
હવે જો અદૃષ્ટ ન સ્વીકારવામાં આવે તો પ્રાયશ્ચિત્તથી શેનો નાશ થાય છે, જેના કારણે થયેલા પાપનું ફળ નહીં મળે તેમ કહી શકાય ? અર્થાત પ્રાયશ્ચિત્તથી નાશ્ય એવું કંઈ નથી; કેમ કે થયેલું પાપ તો થઈ ચૂકેલું છે, અને તે થયેલા પાપનો ધ્વંસ વિદ્યમાન છે, અને તે ધ્વંસનો નાશ થઈ શકે નહીં. તેથી તે થયેલા પાપનો ધ્વંસ ઉચિત કાળે અવશ્ય ફળ આપશે. માટે શાસ્ત્રમાં પાપશુદ્ધિ અર્થે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org