________________
૬૮
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અહીં ઉદયનાચાર્યે કહ્યું તેનો આશય એ છે કે ચિરધ્વસ્ત એવી ક્રિયા ક્રિયાકાળમાં આત્મામાં કોઈ અતિશય ઉત્પન્ન કર્યા વિના ફળ ઉત્પન્ન કરવા સમર્થ નથી, અને આત્મામાં જે અતિશય ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ છે. ઉદયનાચાર્યના આ વચનથી પણ અદૃષ્ટની સિદ્ધિ થાય છે. ઉત્થાન :
વિહિત અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરી શકતું નથી તેમ અન્વય અને વ્યતિરેકથી પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. હવે તર્કથી પણ વિહિત-નિષિદ્ધ કર્મ ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરી શકતું નથી, તે બતાવવા અર્થે કહે છે – ટીકા :
अपि च प्रायश्चित्तविधेरपि अदृष्टमन्तरा वैयर्थ्यं प्रसज्येत, अधर्मनाशेनैव तस्य फलवत्त्वात्, नरकादिदुःखानां प्रायश्चित्तविषयकर्मजन्यानामप्रसिद्ध्या तन्नाशस्य कर्तुमशक्यत्वाद्, दुःखप्रागभावस्याप्यसाध्यत्वात्, प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्चेत्यन्यत्र विस्तरः ।।१६।। ટીકાર્ચ -
પિ ર... વિતર: વળી, અદષ્ટ સ્વીકાર્યા વગર પ્રાયશ્ચિત્તવિધિનું પણ વ્યર્થપણું પ્રાપ્ત થશે; કેમ કે અધર્મનાશ વડે જ તેનું પ્રાયશ્ચિત્તવિધિનું, ફળવાતપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી ધ્વંસ દ્વારા જે ફળ પ્રાપ્ત થવાનું હતું, તે ફળનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેનું નિરાકરણ કરવા માટે હેતુ કહે છે –
પ્રાયશ્ચિત છે વિષય જેને એવું નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનરૂપ કર્મ, તેનાથી જવ્ય એવાં વરકાદિ દુ:ખોની અપ્રસિદ્ધિ હોવાથી પ્રાયશ્ચિતકાળમાં અપ્રાપ્તિ હોવાથી, તેનો નાશ કરવો અશક્ય છેઃનિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી જવ્ય એવાં નરકાદિ દુઃખોરૂપ ફળનો પ્રાયશ્ચિત્તથી નાશ કરવો અશક્ય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે નિષિદ્ધ અનુષ્ઠાનનું સેવન કર્યા પછી નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તે નરકાદિ દુઃખોનો પ્રાગભાવ વિદ્યમાન છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org