________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
“ચિરધ્વસ્ત કર્મ=ચિરધ્વસ્ત એવી ક્રિયા, અતિશય વગર=ભાવવ્યાપારરૂપ અતિશય વગર, ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી." (ન્યાયકુસુમાંજલિ-૧/૯) ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
* અનુમવેપ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન તો ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરે પરંતુ અનુભવ પણ ધ્વંસ દ્વારા જ સ્મૃતિ ઉત્પન્ન કરે.
૬૬
* ‘સંસ્કૃારોપિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરે છે તેમ સ્વીકારીએ તો અદૃષ્ટનો ઉચ્છેદ થાય, પરંતુ સંસ્કારનો પણ ઉચ્છેદ થાય.
ભાવાર્થ:
કર્મ વિના માત્ર પુરુષાર્થથી કાર્યની અસંગતિ :
કોઈ પુરુષ શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કર્યું, તો વળી અન્ય કોઈ પુરુષ શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાન કર્યું. તે બંને અનુષ્ઠાન ક્રિયાકાળ પછી હોતાં નથી, અને તે ક્રિયાનો ધ્વંસ કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારી શકાય નહીં; પરંતુ તે વિહિત અને નિષિદ્ધ ક્રિયાથી અદૃષ્ટ એવું કર્મ ઉત્પન્ન થાય છે, જે કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ માનવું ઉચિત છે.
જેમ કોઈ પુરુષ દૂધમાં મેળવણ નાખે ત્યારે તે મેળવણની ક્રિયા ક્ષણભાવિ છે, અને તેનું દહીંરૂપ ફળ ચિરકાળ પછી પ્રાપ્ત થાય છે. તે સ્થાનમાં મેળવણ નાખવાની ક્રિયાથી મેળવણ નાંખ્યા પછી દૂધમાં ક્રમસર પરિણામાંતર થાય છે, જે દૂધરૂપ ભાવનો પરિણામાંતર થવારૂપ વ્યાપાર છે, અને તે દૂધના તે ભાવવ્યાપાર દ્વારા ક્રમે કરીને દહીંરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
આ રીતે દેખાતાં સર્વ કાર્યોમાં જે જે ક્રિયા કાલાંતરે ફળ ઉત્પન્ન કરે છે, તે ભાવવ્યાપાર દ્વારા ફળ ઉત્પન્ન કરે છે, તેવું અવધારણ છે. તેની જેમ વર્તમાનમાં વિહિત અનુષ્ઠાન અને નિષિદ્ધ અનુષ્ઠાનનું ફળ પણ જન્માંતરમાં પ્રાપ્ત થતું હોય ત્યારે, તે ક્રિયાનો ધ્વંસ ફળ ઉત્પન્ન કરે છે, તેમ કહી શકાય નહીં, પરંતુ તે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન દ્વારા કોઈક કર્મ નામના ભાવાત્મક પદાર્થની= વિદ્યમાન પદાર્થની, આત્મામાં નિષ્પત્તિ થયેલ છે, અને તે કર્મ ક્રમે કરીને પરિણામાંતર પામતું જ્યારે ઉદયપર્યાયને પામે છે, ત્યારે તે ક્રિયાનું ફળ કર્મના વિપાક દ્વારા પ્રાપ્ત થાય છે, તેમ સ્વીકારી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org