SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ બધા પ્રત્યે પિત્તાદિ રસના ઉદ્ધોધકરૂપે સમાન થવું જોઈએ અને સમાન રીતે બધાને દુઃખનું કારણ પણ થવું જોઈએ; પરંતુ એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે, તેથી તે રૂપ કાર્યભેદના નિયામકરૂપે અષ્ટ એવા દેવને કારણે માનવું જોઈએ. માટે કોઈક નાસ્તિકો અદૃષ્ટને કારણ સ્વીકારતા નથી, તે કથન તેઓનું યુક્તિરહિત છે. I૧પણા અવતરણિકા : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ અને કોઈકને દુઃખ થાય છે, તેથી તેના નિયામકરૂપે અદષ્ટ ભેદ સ્વીકારવો જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે અદષ્ટને ન સ્વીકારીએ અને પૂર્વમાં કરાયેલા વિહિત અનુષ્ઠાનના ધ્વસથી વર્તમાનમાં એકને દુગ્ધપાતથી સુખ થાય છે, અને પૂર્વમાં સેવાયેલા નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વસથી વર્તમાનમાં અન્યને દુગ્ધપાતથી દુઃખ થાય છે, તેમ સ્વીકારીએ તો ફળની સંગતિ થઈ શકે છે. તેનું નિરાકરણ કરતાં, વિહિત અનુષ્ઠાનનો અને નિષિદ્ધ અનુષ્ઠાનનો ધ્વસ ફળ પ્રત્યે કારણ ન સ્વીકારી શકાય, પરંતુ અદષ્ટને ફળ પ્રત્યે કારણ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી યુક્તિથી બતાવે છે – શ્લોક : न चापि क्षणिकं कर्म फलायादृष्टमन्तरा । वैयर्थ्यं च प्रसज्येत प्रायश्चित्तविधेरपि ।।१६।। અન્વયાર્થ: વારિ=અને ક્ષ િવર્ષ-ક્ષણિક કર્મક્ષણિક એવી વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ક્રિયા ઈત્તરા=અદષ્ટ વગર ના જ ફળ માટે નથી. વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાનરૂપ ક્રિયા અદષ્ટ દ્વારા નહીં, પરંતુ ધ્વસ દ્વારા ફળ આપે છે, તેમ સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે કહે છે – =વળી પ્રાયશ્ચિત્તવિવેરવિ=પ્રાયશ્ચિતવિધિનું પણ વૈ પ્રસંગે વૈયર્થ પ્રાપ્ત થાય. II૧૬II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy