________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫
આશય એ છે કે જેમ કાકડીનો સ્વભાવ પિત્તરસના ઉધ્ધોધને કરનારો છે તો કાકડી બધાના પિત્તરસનો ઉદ્ધોધ કરે, પરંતુ કાકડીને તેવો કોઈ પક્ષપાત નથી કે એકને પિત્તરસનો ઉદ્ધોધ કરે અને અન્યને ન કરે; તેમ દુધપાનથી પણ પિત્તાદિ રસનો ઉદ્ધોધ થતો હોય તો બધાને પિત્તાદિ રસનો ઉદ્ધોધ થવો જોઈએ, અને દુગ્ધપાનથી બધાને પિત્તાદિ રસનો ઉબોધ થાય તો બધાને દુઃખની ઉત્પત્તિ થવી જોઈએ; પરંતુ દુગ્ધપાનથી એકને સુખ થાય છે તો અન્યને દુઃખ થાય છે. તેથી તે સંગત કરવા માટે અદષ્ટ એવા દૈવને માનવું આવશ્યક છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ઔષધની જેમ તે પ્રકારની ઉપપત્તિ છે=બે સમાન રોગી એક સમાન ઔષધ ગ્રહણ કરે, આમ છતાં એક રોગીને તે ઔષધથી રોગનું શમન થાય છે, તો અન્ય રોગીને તે ઔષધથી અન્ય રોગનો પ્રકોપ થાય છે. તેથી એક રોગીને તે ઔષધથી સુખ થાય છે તો અન્ય રોગીને તે ઔષધથી દુઃખ થાય છે, તેમ એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે, એમ સ્વીકારી શકાય છે. માટે અદૃષ્ટને માનવાની જરૂર નથી.
આ પ્રકારના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે : તારી વાત બરાબર નથી; કેમ કે સમાન રોગવાળા બે પુરુષો સમાન ઔષધ ગ્રહણ કરે તો તેનાથી બંને પુરુષને સાક્ષાત્ સુખાદિ સમાન થાય; કેમ કે ઔષધને તે પુરુષો પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે તે પુરુષોમાંથી કોઈક પુરુષ પ્રત્યે પક્ષપાત કરીને કોઈક રોગીના રોગનું શમન કરે અને અન્ય રોગીના અન્ય રોગનો ઉદ્રેક કરે; પરંતુ જે ઔષધ જે રોગના શમનનું કારણ છે તે ઔષધથી તે રોગનું શમન બંને પુરુષોમાં સમાન થાય છે. આમ છતાં તે બે પુરુષોમાંથી જે રોગીને અન્ય રોગનો ઉદ્રક થાય છે, તે ઉત્તરકાળમાં થનારું કાર્ય છે અર્થાત્ જે રોગીમાં અન્ય કોઈ દોષ અધિક હતો, તેના ઉદ્રકનું કારણ બને તેવું તે ઔષધ હોવાથી અન્ય રોગીને ઉત્તરકાળમાં તે ઔષધથી અન્ય રોગનો ઉક થયો, પરંતુ ઔષધસેવનકાળમાં બંને સમાન રોગીઓના રોગનું શમન સમાન થયું. માટે જ બંનેને સાક્ષાત્ સુખ સમાન થયું.
તેથી એ ફલિત થાય કે જે ઔષધ જે રોગના શમનનું કારણ છે તે ઔષધ સર્વ પ્રત્યે સમાન રીતે રોગશમનનું કારણ છે. તેમ એક જાતીય દુગ્ધપાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org