________________
૬૨
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ‘તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે.
તે આ કહેવાયું છે તુલ્ય સાધતવાળા બે પુરુષને અદષ્ટ વગર ફળવિશેષ થતું નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ ભાષ્યકાર વડે વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૬૧૩માં કહેવાયું છે.
“હે ગૌતમ ! તુલ્ય સાધનવાળાના ફળમાં જે વિશેષ છે=ભેદ છે, તે હેતુ વગર નથી; કેમ કે ઘટની જેમ કાર્યપણું છે અને તે હેતુ કર્મ છે.” (વિ. આ. ભા. ગાથા-૧૬૧૩) ૧૫ા
‘સુવતીન્યા - અહીં ‘સર’ થી રોગનું શમન ગ્રહણ કરવું.
થાતુવૈષજ્યારત્નત્વય્ - અહીં ‘દ્ધિ થી ધાતુઅવિષમતાનું ગ્રહણ કરવું અર્થાત્ કોઈકને ઉત્તરકાળમાં ધાતુની વિષમતા થાય તો કોઈકને ઉત્તરકાળમાં ધાતુની વિષમતા ન થાય. ભાવાર્થ -
કોઈ બે પુરુષ એક જાતીયવાળું દુગ્ધપાન કરે તો તેમાંથી કોઈ એક પુરુષને તે દુગ્ધપાન દુઃખનું કારણ બને છે, તો અન્યને તે દુગ્ધપાન સુખનું કારણ બને છે. આ પ્રકારનો ભેદ પ્રત્યક્ષથી કેટલાક પુરુષોમાં ઉપલબ્ધ છે, અને આ ભેદ અદૃષ્ટના ભેદને સ્વીકાર્યા વગર સંગત થાય નહીં. તેથી એમ માનવું પડે કે જે પુરુષને દુગ્ધપાનથી દુઃખ થયું, તેનું અદૃષ્ટ દુઃખની ઉત્પત્તિને અનુકૂળ હતું, અને જે પુરુષને દુગ્ધપાનથી સુખ થયું, તેનું અદષ્ટ સુખની ઉત્પત્તિને અનુકૂળ હતું.
અહીં પૂર્વપક્ષી કહે કે કોઈ પુરુષ કાકડી આદિ ખાય તો પિત્તાદિ રસનો ઉદ્ધોધ થાય છે, તેમ જે પુરુષે દુષ્પમાન કર્યું અને પિત્તના રસનો ઉદ્બોધ થયો, તેને પિત્તના રસના ઉધ્ધોધને કારણે દુઃખ થયું, પરંતુ અદષ્ટના ઉદયને કારણે દુઃખ થયું છે, તેમ માનવાની જરૂર નથી; કેમ કે દૃષ્ટ કારણથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થતી હોય તો અદષ્ટ એવા દૈવને કારણ માનવાની જરૂર નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રમાણે ન કહેવું; કેમ કે જો દુગ્ધપાનથી એકને પિત્તરસનો ઉદય થાય છે, તો અન્યને પણ પિત્તરસનો ઉદ્ધોધ થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org