________________
૬૧
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૫ ટીકાર્ચ -
ગાયત્તે .... ? ”ા (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૨૬૨૩) | એક જાતીય દુષ્પપાસાદિથી જ કોઈક જીવને દુઃખ થાય છે અને કોઈક જીવને સુખ થાય છે. “તિ' શબ્દ સમાન દષ્ટ કારણવાળા પુરુષમાં ફળભેદ થાય છે, તે કથનની સમાપ્તિમાં છે. માત્ર વ અને અહીં એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે એમાં, અદભેદ જ નિયામક છે. ‘તિ' શબ્દ સમાન સામગ્રીમાં ફળભેદના નિયામકરૂપે અદષ્ટને સ્વીકારવાના કથનની સમાપ્તિમાં છે.
અહીં પૂર્વપક્ષી કહે કે કાકડી આદિની જેમ દુગ્ધાદિથી ક્વચિત્ પિતાદિરસનો ઉદ્દબોધ હોવાથી, ઉપપતિ છે =કોઈને દુઃખની ઉપપત્તિ છે, (માટે કોઈકને દુગ્ધપાનથી સુખ થાય છે અને કોઈકને દુગ્ધપાતથી દુઃખ થાય છે. તેથી અદષ્ટ માનવાની જરૂર નથી.) તેને ગ્રંથકારશ્રી કહે છે –
ન=એમ ન કહેવું; કેમ કે સર્વત્ર તેની આપત્તિ છે એક જાતીય દૂધપાત કરનારા સર્વમાં પિતાદિ રસના ઉદ્દબોધની આપત્તિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ઔષધની જેમ તે પ્રકારની ઉપપત્તિ છે-બે સમાન પ્રકારના રોગી સમાન ઔષધ વાપરે છે, તોપણ એકતે તે ઔષધથી ગુણ થાય છે અન્યને તે ઔષધથી અનેક રોગોનો ઉઢેક થાય છે; તેમ એકજાતીય દુગ્ધપાતથી કોઈકને પિત્તાદિ રસનો ઉદ્બોધ છે, અન્યને નથી, તે પ્રકારની ઉપપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે : એમ ન કહેવું; કેમ કે તેનાથી=ઔષધથી સાક્ષાત્ સુખાદિનું તુલ્યપણું છે અર્થાત્ સમાન બે રોગી સમાત ઔષધ વાપરે તો તે ઔષધથી જે રોગથી તે બંને રોગીઓ પીડાતા હતા તે રોગના શમતથી બંનેને સુખાદિ સમાન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે એક રોગીને તે ઔષધથી અનેક અન્ય રોગોનો પ્રકોપ થયો, તેથી બંને રોગીને તે ઔષધથી સુખાદિ સમાન છે, તેમ કેમ કહી શકાય ? તેથી હેતુ કહે છે –
ધાતુવૈષમ્યાદિનું ઉત્તરકાલપણું છે જે રોગીને તે ઔષધથી અન્ય રોગોનો પ્રકોપ થયો તે રૂપ ધાતુવૈષમ્યાદિનું ઉત્તરકાળપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org