SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૫ આ પ્રકારનું નાસ્તિકવાદીનું કથન યુક્ત નથી. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે કોઈ બે પુરુષ સદશ બાહ્ય કારણમાં પ્રવૃત્તિ કરતા હોય છતાં તે બંનેને સમાન ફળ મળતું નથી, પરંતુ એક પુરુષને જે ફળ મળે છે, તેના કરતાં અન્ય પુરુષને વિપરીત ફળ મળે છે, એવું પણ દેખાય છે. તે ભેદ અદષ્ટના ભેદ વિના સંગત થાય નહીં. તેથી માનવું જોઈએ કે દષ્ટ સમાન સામગ્રીવાળા બે પુરુષના ફળભેદનું નિયામક અષ્ટવિશેષ છે. માટે અદૃષ્ટનો અપલાપ કરી શકાય નહીં. આશય એ છે કે વિહિત કે નિષિદ્ધ ક્રિયાનો ધ્વંસ એ કોઈ વસ્તુ નથી, પરંતુ ક્રિયાનો ઉપરમ=વિરામ છે. માટે ક્રિયાનો ઉપરમ કાર્યભેદનો નિયામક સ્વીકારી શકાય નહીં, પણ કાર્યભેદના નિયામકરૂપે કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુ માનવી પડે. તેથી બે સમાન સામગ્રીવાળા પુરુષમાં જે કાર્યભેદ પ્રત્યક્ષથી દેખાય છે, તે કાર્યભેદના નિયામક કારણરૂપે અદષ્ટને સ્વીકારવું આવશ્યક છે. ઉત્થાન – પૂર્વમાં કહ્યું કે અદષ્ટના ભેદ વગર સદશ દૃષ્ટ કારણવાળા એવા બે પુરુષમાં દેખાતો ફળભેદ સંગત થઈ શકે નહીં. તેથી હવે સદશ દૃષ્ટ કારણવાળા બે પુરુષોના ફળમાં ભેદ ક્યાં પ્રાપ્ત થાય છે ? અને અદષ્ટ સ્વીકાર વગર રીતે તે ભેદ કઈ રીતે સંગત ન થઈ શકે ? તે સ્પષ્ટ કરે છે – ટીકા : जायते ह्येकजातीयदुग्धपानादेव कस्यचिद् दुःखं कस्यचिच्च सुखमिति, अत्र चादृष्टभेद एव नियामक इति, न च कर्कट्यादिवद् दुग्धादेः क्वचित्पित्तादिरसोद्बोधादुपपत्तिः, सर्वत्र तदापत्तेः, न च भेषजवत्तथोपपत्तिः, ततः साक्षात् सुखादितौल्याद्धातु-वैषम्यादेरुत्तरकालत्वादिति, तदिदमुक्तं भाष्यकृता - “जो तुल्लसाहणाणं फले विसेसो ण सो विणा हेउं । । कज्जत्तणओ गोयम घडो व्व हेऊ अ से कम्मं" ।। (વિશેષાવશ્ય માર્ગ માથા-૨૬૨૩) ૨૫TI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy