________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧પ
૫૯ કરે છે ત્યારે પણ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસનો અમુક કાળ સાથે સંબંધ થાય ત્યારે, વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનનો ધ્વંસ ફળ આપે છે, શેષકાળમાં નહીં, એમ માની શકાય. માટે અદૃષ્ટ માનવાની જરૂર નથી, એમ અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકો કહે છે.
અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકોનો આશય એ છે કે જે લોકો અદૃષ્ટને કારણ માને છે તેઓ એમ કહે છે કે આ ભવમાં કરાયેલા વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનથી અદૃષ્ટ ઉત્પન્ન થાય છે, અને તે અદૃષ્ટ જન્માંતરમાં વિપાકમાં આવે છે અને ચરમ વિપાક આપીને તે અદૃષ્ટ નાશ પામે છે, તેથી ઉત્તરમાં તે અદૃષ્ટનું ફળ મળતું નથી; અને અદૃષ્ટને બદલે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપે છે, તેમ સ્વીકારવામાં આવે તો, ધ્વસ શાશ્વત છે, તેથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થયા પછી તેનો પ્રવાહ સદા ચાલવો જોઈએ; અને તેમ દેખાતું નથી. તેથી ધ્વંસ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે, તેમ સ્વીકારવામાં ફળના વિરામની સંગતિ થાય નહીં. માટે અદૃષ્ટને કારણ માનવું જોઈએ, એમ કોઈ અદૃષ્ટવાદી કહે તો અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકવાદી કહે છે –
જે લોકો કાર્ય પ્રત્યે અદૃષ્ટને કારણ સ્વીકારે છે, તેઓ પણ માને છે કે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન દ્વારા ઉત્પન્ન થયેલું અદૃષ્ટ તરત ફળ આપતું નથી, પરંતુ કાલાંતરમાં ફળ આપે છે. તેથી માનવું પડે કે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનથી બંધાયેલું અદૃષ્ટ તે કાળ સાથે સંબંધ પામીને ફળ આપે છે, પરંતુ સદા ફળ આપતું નથી અર્થાત્ અદૃષ્ટ બંધાયું ત્યારથી માંડીને અદૃષ્ટના અસ્તિત્કાળ સુધી ફળ આપતું નથી, પરંતુ જે કાળમાં ફળ પ્રાપ્ત થાય છે, તે કાળ સાથે સંબંધ પામીને અદૃષ્ટ ફળ આપે છે. તેમ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા તે કાળ સાથે સંબંધ થઈને ફળ આપે છે, પરંતુ સદા ફળ આપતું નથી અર્થાત્ વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસની પ્રાપ્તિકાળથી યાવત્ ધ્વસના અસ્તિત્વ કાળ સુધી ફળ આપતું નથી, પરંતુ જે કાળમાં ફળ પ્રાપ્ત થાય છે, તે કાળ સાથે સંબંધ પામીને વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ આપે છે. તેથી જેમ અદૃષ્ટને સ્વીકારીને પરલોકના ફળવિરામની સંગતિ છે, તેમ નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસ દ્વારા પરલોકના ફળવિરામની સંગતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org