________________
પ૮
દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૧૫ શાસ્ત્રોના વિહિત એવા અને શાસ્ત્રોથી નિષિદ્ધ એવા અનુષ્ઠાનના સેવનથી પરલોકમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ અદષ્ટ દ્વારા સ્વીકારવાની જરૂર નથી, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વસથી પરલોકના ફળની ઉપપત્તિ થઈ શકે છે. માટે દેખાતા કારણોથી અતિરિક્ત એવા દૈવને કારણે માનવાની જરૂર નથી.
તેમની આ માન્યતા પ્રમાણે કોઈ પુરુષ આ ભવમાં શાસ્ત્રથી વિહિત અનુષ્ઠાન કરે ત્યારે તે ધર્માનુષ્ઠાનની ક્રિયા વિદ્યમાન છે, અને ત્યારપછી તે ક્રિયાનો ધ્વસ પ્રાપ્ત થાય છે, અને તે ધ્વંસ જન્માંતરમાં પણ રહે છે. તેથી જે પુરુષે વિહિત અનુષ્ઠાન સેવ્યું છે, તેના ધ્વસથી જન્માંતરમાં તેને સુંદર ફળ મળે છે. માટે પુણ્ય નામના અદૃષ્ટને માનવાની જરૂર નથી. વળી, કોઈ પુરુષ આ ભવમાં શાસ્ત્રથી નિષિદ્ધ અનુષ્ઠાનનું સેવન કરે ત્યારે તે અધર્માનુષ્ઠાનની ક્રિયા વિદ્યમાન છે, અને ત્યારપછી તે ક્રિયાનો ધ્વંસ પ્રાપ્ત થાય છે, અને તે ધ્વંસ જન્માંતરમાં પણ રહે છે. તેથી તે પુરુષે નિષિદ્ધ અનુષ્ઠાન સેવ્યું છે, તેના ધ્વસથી જન્માંતરમાં તેને અસુંદર ફળ મળે છે. માટે પાપ નામના અદૃષ્ટને માનવાની જરૂર નથી.
આ રીતે આલોકની અને પરલોકની વ્યવસ્થાની સંગતિ દૃષ્ટ કારણ દ્વારા નાસ્તિકો કરે છે, અને અદૃષ્ટનો અપલાપ કરે છે. વળી, પોતાની વાતની પુષ્ટિ કરવા માટે તેઓ કહે છે કે જો અમને અદૃષ્ટવાદી આવી આપત્તિ આપે કે અદૃષ્ટ સ્વીકારવાને કારણે ચરમ સુખદુઃખાદિના ભોગ દ્વારા અદૃષ્ટનો નાશ થાય છે, માટે અદૃષ્ટના ફળના વિરામની ઉપપત્તિ થાય છે; અને અષ્ટને ન સ્વીકારવામાં આવે અને વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા પરલોકમાં ફળને ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારવામાં આવે, તો ધ્વંસનો નાશ થતો નથી, તેથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનના ફળના પ્રવાહના વિરામની પ્રાપ્તિ થશે નહીં.” એ પ્રકારની આપત્તિ અમને આપવી નહીં; કેમ કે અદૃષ્ટને કારણરૂપે સ્વીકારવા છતાં પણ અદૃષ્ટની નિષ્પત્તિ પછી તરત ફળ મળતું નથી, પરંતુ કાલાંતરમાં જ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી અમુક કાળ સાથે અદૃષ્ટનો સંબંધ થાય ત્યારે જ અદૃષ્ટ ફળ આપે છે, અન્ય કાળમાં નહીં, એમ અદૃષ્ટવાદી પણ સ્વીકારે છે. તેની જેમ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org