________________
પ૭
દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૧પ તો વળી, તેની અનુપત્તિ છે=ળના વિરામની અનુપપતિ છે, એમ ન કહેવું; કેમ કે અદૃષ્ટતા સ્વીકારમાં પણ, કાલાંતરમાં જ ફળની પ્રાપ્તિ હોવાથી તદવ્યકાળમાં ફળથી અન્ય કાળમાં, ફળના વિરામની ઉપપત્તિ છે' એ પ્રમાણે નાસ્તિકપ્રાય કેટલાક કહે છે તે અસત્ છે=નાસ્તિકપ્રાય એવા કેટલાક અદષ્ટને નહીં સ્વીકારવા માટે જે પૂર્વમાં યુક્તિ આપી તે અસત્ છે; કેમ કે તુલ્ય સાધનવાળા=સદશ દષ્ટ કારણવાળા એવા, બંને પુરુષોના ફળમાં ભેદ છે.
અહીં પ્રશ્ન થાય કે સદશ દૃષ્ટ કારણવાળા બે પુરુષોના ફળમાં ભેદ હોય એટલામાત્રથી અદષ્ટને નહીં સ્વીકારનારના મતનું કથન અસત્ કેમ સિદ્ધ થાય ? તેમાં હેતુ કહે છે –
અને તેની=સદશ દષ્ટ સામગ્રીવાળા પુરુષના ફળતા ભેદની, અદષ્ટ ભેદ વગર તે બે પુરુષના અદષ્ટના વિશેષ વગર, અનુપપત્તિ હોવાને કારણે તેની અસિદ્ધિ છે ફળભેદની અસિદ્ધિ છે.
* “વિહર્તાનષિદ્ધાખ્યાપ' - અહીં “ઘ' થી એ કહેવું છે કે અદૃષ્ટ દ્વારા તો આમુખિક ફળની ઉત્પત્તિ થઈ શકે છે, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનથી પણ સ્વધ્વંસ દ્વારા આમુષ્મિક ફળની ઉત્પત્તિ થઈ શકે છે.
ઘરમQદુ:સ્વામિન' - અહીં ‘રિ થી રતિ-અરિત આદિનું ગ્રહણ કરવું.
અરવુપડપ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસ દ્વારા તો કાલાંતરમાં ફળની પ્રાપ્તિ છે, પણ અદૃષ્ટના સ્વીકારમાં પણ કાલાંતરમાં ફળની પ્રાપ્તિ છે. ભાવાર્થદષ્ટકારણથી જ કાર્યની સિદ્ધિ થતી દેખાતી હોવાથી અદષ્ટને કારણરૂપે નહીં સ્વીકારનાર મતનું નિરાકરણ -
કેટલાક નાસ્તિકવાદીઓ દૃષ્ટ કારણના સમુદાયથી જગતની વ્યવસ્થાનો નિર્વાહ થાય છે, તેમ કહીને, દૈવરૂપ અદૃષ્ટની કલ્પના કરવાની જરૂર નથી, તેમ કહે છે; અને વર્તમાન ભવની વ્યવસ્થા દૃષ્ટ એવી બાહ્ય સામગ્રીથી તેઓ સંગત કરે છે; અને પરભવની વ્યવસ્થાની સંગતિ કરવા માટે તેઓ કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org