SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પપ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ કરે નહીં, અને દૃષ્ટ કારણો સમાન હોવા છતાં કાર્યની વિષમતા પ્રાપ્ત થતી હોય ત્યાં તે કાર્યની વિષમતાનું નિયામક અદૃષ્ટ કારણ છે, તેમ સ્વીકારીને, સર્વ કાર્ય પ્રત્યે અદૃષ્ટ પણ કારણ છે તેમ સ્વીકારે છે. તેના બદલે દૃષ્ટ કારણનો અપલાપ કરીને માત્ર અદૃષ્ટથી કાર્ય થાય છે તેમ સ્વીકારવું તે અતિ બાધાકર છે. માટે એકાંત અદષ્ટને કારણરૂપે સ્વીકારીને પુરુષકારનો અપલાપ થાય નહીં, પરંતુ કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે; અને પુરુષકાર જેમ દૃષ્ટ કારણ છે, તેમ પુરુષકારના ઉપલક્ષણથી અન્ય બાહ્ય સામગ્રી પણ કાર્ય પ્રત્યે દૃષ્ટ કારણ છે. તેથી કાર્યમાત્ર પ્રત્યે બાહ્ય સામગ્રી, પુરુષકાર અને દૈવ કારણ છે, એ પ્રમાણે વ્યવહારનયથી ફલિત થાય છે. ll૧૪ll અવતરણિકા : વ્યવહારનયવાદીએ સર્વ કાર્યો પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, તેમ શ્લોક-પ થી ૧૦ સુધી સ્થાપન કર્યું. ત્યાં કેટલાક દૈવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી દેવ ફળનો હેતુ છે, પુરુષકાર નહીં'; એ પ્રકારની માન્યતા ધરાવે છે, તેનું નિરાકરણ શ્લોક-૧૧માં કર્યું. વળી “સાંખ્યદર્શનવાળા સર્વ કાર્ય પ્રત્યે દેવ કારણ છે પુરુષકાર આદિ નહીં,” તેમ માને છે, તેનું નિરાકરણ બ્લોક-૧૨ થી ૧૪ સુધી કર્યું. હવે કેટલાક ‘દષ્ટ કારણોથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત છે, માટે અદષ્ટને કારણ માનવાની જરૂર નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે વ્યવહારનયવાદી કહે છે – શ્લોક : दृष्टेनैवोपपत्तौ च नादृष्टमिति केचन । फले विशिषात्तदसत्तुल्यसाधनयोर्द्वयोः ।।१५।। અન્વયાર્થ : કૃષ્ટ નૈવ ર=અને દષ્ટ વડે જ દષ્ટ કારણો વડે જ પત્તો ઉપપત્તિ થયે છતે જગતની વ્યવસ્થા સંગત થયે છતે ન કષ્ટઅદષ્ટ નથી=અદષ્ટને કારણરૂપે કલ્પના કરવી જરૂરી નથી, તિએ પ્રમાણે છેવન=કેટલાક= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy