SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સ્વીકારાય છે. હવે જો એકાંતવાદી બાહ્ય દૃષ્ટ કારણોનો અપલાપ કરીને માત્ર અદૃષ્ટથી ફળ થાય છે તેમ સ્થાપન કરતો હોય, તો ફળની પ્રાપ્તિ આ દેશમાં અને આ કાળમાં થઈ, તેના નિયામકરૂપે તત્ક્ષણને અને જીવરૂપ કે પદાર્થરૂપ દેશના સ્વભાવને સ્વીકારી લઈએ, તો જેમ દૃષ્ટ એવા યત્નાદિ કારણોનો અપલોપ કરી શકાય છે, તેમ અદષ્ટનો પણ અપલાપ કરીને પદાર્થની વ્યવસ્થા સંગત થઈ શકે છે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ઉત્થાન : સર્વ કાર્ય પ્રત્યે કાળભેદની અપેક્ષા રાખીને માત્ર દેવને કારણે સ્વીકારવામાં આવે અને પુરુષકારને કારણે ન સ્વીકારવામાં આવે તો તત્ક્ષણને કારણરૂપે સ્વીકારીને દેવના અપાપનો પણ પ્રસંગ આવે, તેમ પૂર્વમાં બતાવ્યું. હવે પ્રત્યક્ષથી દેખાતા એવા બાહ્ય કારણોનો અપલાપ કરીને માત્ર દેવને કારણ માનવું તે અત્યંત અનુચિત છે, તે બતાવવા કહે છે – ટીકા : किञ्च दृष्टहानि दृष्टानां कारणानां यत्नादीनां त्यागः, अदृष्टस्य च-प्रधानस्य कल्पनं, अतिबाधकम्=अतिबाधाकारीति न किञ्चिदेतत् ।।१४।। ટીકાર્ય : વિશ્વ કુષ્ટદાનિ ..... વિષ્યિવેત વળી દષ્ટહાનિ=દષ્ટ એવા યત્નાદિ કારણોનો ત્યાગ, અને અદષ્ટની=પ્રધાનની કલ્પના કરવી અતિબાધક છેઅતિ બાધા કરનારી છે. એથી ત–આસર્વકાર્ય પ્રત્યે અદષ્ટ જ કારણ છે, પુરુષકાર નહીં એ, ન વિશ્વિઅર્થ વગરનું છે. ૧૪મા “યત્નાવીન’ – અહીં ‘મારિ થી પુરુષકારથી અતિરિક્ત કારણરૂપે દેખાતી એવી બાહ્ય સામગ્રીનું ગ્રહણ કરવું. ભાવાર્થ : કાર્ય પ્રત્યે દુષ્ટ એવો યત્ન અને બાહ્ય સામગ્રી કારણ છે. આમ છતાં ત્યાં સાંખ્યદર્શનવાળા એકાંત દેવને કારણ સ્વીકારીને પુરુષકારનો અપલાપ કરે તે કથન અત્યંત અનુચિત છે; કેમ કે વિચારકો દૃષ્ટ કારણોનો ક્યારેય અપલાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy