SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ અને આ જીવરૂપ અધિકરણમાં આ ક્ષણમાં ધનપ્રાપ્તિ નહીં થાય, તેનું નિયમન કરવા અર્થે દેવને સ્વીકારવું આવશ્યક છે. આ પ્રકારે એકાંત દેવવાદી સાંખ્યદર્શનવાળાની યુક્તિનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી હેતુ આપે છે – સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ થઈ શકે છે અર્થાત્ જે જીવને ધન પ્રાપ્ત થયું તે જીવનો તેવો સ્વભાવ છે કે તક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ધન પ્રાપ્ત થાય; અને જે જીવને ધન પ્રાપ્ત થતું નથી, તે જીવનો તેવો સ્વભાવ છે કે તત્ક્ષણ સાથે સંબંધ થઈને તે જીવ ધન પ્રાપ્ત કરી શકે નહીં. તે રીતે જે માટીનો તેવો સ્વભાવ છે કે તે માટી તત્ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ઘટરૂપ કાર્ય થાય, અને જે માટીનો તેવો સ્વભાવ નથી, તે માટીનો તત્ક્ષણ સાથે સંબંધ થાય તોપણ ઘટરૂપ કાર્ય થતું નથી. વળી જે તંતુનો તેવો સ્વભાવ છે કે તે તંતુ તત્ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે પટરૂપ કાર્ય થાય, અને જે તંતુનો તેવો સ્વભાવ નથી, તે તંતુનો તત્ક્ષણ સાથે સંબંધ થાય તોપણ પટરૂપ કાર્ય થતું નથી. તેથી જીવરૂપ કે પુદ્ગલરૂપ સર્વ અધિકરણોમાં તેવો સ્વભાવ છે કે તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે તેનું કાર્ય થાય. આ પ્રકારે કાર્યકારણભાવની વ્યવસ્થા સ્વીકારીને કાર્યમાત્ર પ્રત્યે તત્ક્ષણને કારણે સ્વીકારવાથી અદૃષ્ટનો પણ અપલોપ કરી શકાય; કેમ કે જેમ પૂર્વપક્ષી દૃષ્ટ એવા પુરુષકારાદિ બાહ્ય કારણોનો અપલાપ કરીને અદષ્ટમાત્રથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત કરે છે, તેમ તત્ક્ષણ માત્રથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત કરીને અદૃષ્ટનો પણ અપલાપ થઈ શકે છે. આ પ્રકારનો દોષ એકાંત અદૃષ્ટને કારણે માનનાર સાંખ્યદર્શનકારને ગ્રંથકારશ્રીએ આપેલ છે. અહીં વિશેષ એ છે કે કાર્ય પ્રત્યે બાહ્ય જે દુષ્ટ કારણો દેખાતાં હોય તે સર્વ કારણોને અનુભવ પ્રમાણે કારણરૂપે સ્વીકારાય છે. આમ છતાં બાહ્ય કારણ સમાન હોવા છતાં કોઈક વખતે કાર્ય વિષમ થાય છે, ત્યારે તે વિષમતાનું કારણ શું છે ? તે નક્કી કરવા અર્થે અદૃષ્ટને કારણ સ્વીકારાય છે. જેમ ઘણા જીવો સમાન પ્રયત્ન કરતા હોય તો પણ કોઈકને ધનની પ્રાપ્તિ થાય છે અને કોઈકને ધનની પ્રાપ્તિ થતી નથી; તે વખતે બાહ્ય કારણ સમાન દેખાતાં હોય અને ફળમાં વિષમતા દેખાય ત્યારે તે ફળની વિષમતાના નિયામકરૂપે અદૃષ્ટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy