________________
૫૨
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪
તત્ક્ષણને કારણ સ્વીકારીએ તોપણ કાર્યકારણભાવની વ્યવસ્થાની સંગતિ થઈ શકે છે. તેની જેમ દેખાતા પુરુષકારનો અપલાપ કરીને સર્વ કાર્ય પ્રત્યે કર્મ કારણ છે, તેમ સ્વીકા૨વામાં આવે તો સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણ કારણ છે, તેમ સ્વીકારીને કર્મનો પણ અપલાપ થઈ શકે છે.
સર્વ કાર્ય પ્રત્યે તત્ક્ષણ સ્વીકારવાથી કાર્યકારણભાવની વ્યવસ્થા કઈ રીતે સંગત થાય છે ? તે સ્પષ્ટ કરે છે
દૈવવાદી સાંખ્યદર્શનકાર કહે છે કે જે જીવે જે અદૃષ્ટ પૂર્વમાં બાંધેલું તે જીવનું તે અદૃષ્ટ આ ભવમાં વિદ્યમાન હોવા છતાં તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ફળ આપે છે, તેથી તે ક્ષણની પૂર્વની ક્ષણોમાં અષ્ટ હોવા છતાં ફળપ્રાપ્તિનો અતિપ્રસંગ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેની જેમ તે ક્ષણમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણ કારણ છે એમ સ્વીકારીએ તો, તે ક્ષણ સિવાય અન્ય ક્ષણમાં તે કાર્ય થવાનો અતિપ્રસંગ આવે નહીં. માટે તત્ક્ષણમાં થતા કાર્યમાત્ર પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીને અદષ્ટને કારણ ન સ્વીકારીએ તોપણ વ્યવસ્થાની સંગતિ થઈ શકે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે તત્ક્ષણમાં થતાં કાર્યો પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીએ તો ભિન્ન-ભિન્ન અધિકરણમાં તે ક્ષણે ભિન્ન ભિન્ન કાર્યો થાય છે, તે સંગત થાય નહીં. તે આ રીતે
તત્ક્ષણમાં એક જીવને ધનની પ્રાપ્તિ થઈ અને અન્ય જીવને તત્ક્ષણમાં ધનની પ્રાપ્તિ થઈ નહીં. હવે તત્ક્ષણમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણને કારણ કહીએ તો જે જીવને તત્ક્ષણમાં ધનની પ્રાપ્તિ થઈ તેમાં જેમ તત્ક્ષણ કારણ છે, તેમ અન્ય જીવને ધનની પ્રાપ્તિ થઈ નહીં, તેને પણ તત્ક્ષણના સંબંધથી ધનની પ્રાપ્તિ થવી જોઈએ. તેથી આ અધિકરણમાં તત્ક્ષણ આ કાર્ય કરશે અને અન્ય અધિકરણમાં તત્ક્ષણ અન્ય પ્રકારનું કાર્ય કરશે, એવો દેશનિયમ માત્ર તત્ક્ષણને કારણ સ્વીકારવાથી સંગત થાય નહીં, પરંતુ અદૃષ્ટને પણ કારણ સ્વીકારીએ તો સંગત થઈ શકે; કેમ કે જે જીવનું ધનપ્રાપ્તિનું અદૃષ્ટ હતું, તે અદૃષ્ટ તત્ક્ષણ સાથે સંબંધ થઈને તે જીવને ધનની પ્રાપ્તિ કરાવે છે, અને જે જીવનું ધનપ્રાપ્તિનું અદૃષ્ટ નથી, તે જીવનો તત્ક્ષણ સાથેનો સંબંધ થવા છતાં ધન પ્રાપ્ત થતું નથી. માટે આ દેશમાં અર્થાત્ આ જીવરૂપ અધિકરણમાં, ધનપ્રાપ્તિ આ ક્ષણમાં થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org