SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ પ૧ નિવારણ માટે દેવ તે તે કાળ સાથે સંબંધ પામીને કાર્ય કરે છે, એ રીતે સ્વીકારીએ તો, જે ક્ષણમાં કાર્ય થતું નથી, તે ક્ષણમાં કાર્ય થવાનો અતિપ્રસંગ આવતો નથી; તેમ તત્પણવિશિષ્ટ કાર્યવાવચ્છિન્નમાં તત્ક્ષણને કાર્ય પ્રત્યે હેતુ માનીએ તો જે ક્ષણમાં કાર્ય થતું નથી, તે ક્ષણમાં કાર્ય થવાનો અતિપ્રસંગ નથી. અહીં પ્રશ્ન થાય કે તત્ક્ષણ તો દરેક જીવો માટે સમાન છે. તેથી તત્ક્ષણમાં થતા કાર્ય પ્રત્યે તત્કણને હેતુ માનીએ તો તે ક્ષણથી દરેક જીવોને સમાન ધનાદિની પ્રાપ્તિ કે સમાન સુખ-દુઃખની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ ભિન્ન-ભિન્ન અધિકરણમાં ભિન્ન-ભિન્ન કાર્યો થતાં દેખાય છે, તે સંગત થાય નહીં. માટે તલ્લણથી અતિરિક્ત દેવને કારણરૂપે સ્વીકારીએ તો એક જ ક્ષણમાં ભિન્નભિન્ન અધિકરણમાં ભિન્ન ભિન્ન કાર્યો સંગત થઈ શકે. જેમ જે જીવનું દેવ ધનપ્રાપ્તિનું છે, તે જીવનું દેવ તે ક્ષણ સાથે સંબંધવાળું થાય ત્યારે તે જીવને ધનપ્રાપ્તિ કરાવે છે, અન્યને નહીં. માટે કાર્ય પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીને દૈવનો અપલાપ કરી શકાય નહીં. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – અને સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ છે=જે જીવમાં જે ક્ષણમાં જે કાર્ય થાય છે અથવા જે પદાર્થમાં જે ક્ષણમાં જે કાર્ય થાય છે, તે જીવતો કે તે પદાર્થનો તેવો જ સ્વભાવ છે કે તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે તે જીવમાં કે તે પદાર્થમાં તે કાર્ય થાય. તેથી જીવના કે પદાર્થના સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ છે. (માટે કાર્યમાત્ર પ્રત્યે તે તે ક્ષણ કારણ છે, દેવ કારણ નથી, તેમ માનવાની સાંખ્યદર્શનકારને આપત્તિ છે.) ભાવાર્થ - દષ્ટકારણના અપલોપથી અદષ્ટને કારણ સ્વીકારવું અતિ અસંગત : શ્લોક-૧૨માં સાંખ્યદર્શનની માન્યતા બતાવતાં કહ્યું કે તે તે કાળના સંબંધ રૂપ વિપાકથી કર્મ જ સર્વ કાર્ય પ્રત્યે કારણ છે. સાંખ્યદર્શનની આ માન્યતા સ્વીકારીએ તો શું દોષ આવે ? તે સ્પષ્ટ કરે છે – તે તે કાળના સંબંધરૂપ વિપાકથી કેવળ કર્મથી સર્વ કાર્ય થાય છે તેમ માનવામાં આવે, તો કાર્ય પ્રત્યે દેવથી યુક્ત તત્પણ માનવાને બદલે માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy