________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪
૫૦
ઐક્ય=દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય પરિશિષ્યતે=અવશેષ રહે છે= સાંખ્યના મત પ્રમાણે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહે છે. દૃષ્ટજ્ઞાનિર્દૃષ્ટસ્થ ત્વનું ર=દૃષ્ટની હાનિ અને અદૃષ્ટની કલ્પના અતિવાદ્યમ્=અતિબાધક છે. ।।૧૪।
શ્લોકાર્થ :
અને કાળભેદ અપેક્ષણીય હોતે છતે=કેવળ કર્મથી જુદાં જુદાં કાર્યો કરવામાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે, દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય અવશેષ રહે છે=સાંખ્યના મત પ્રમાણે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહેછે. દૃષ્ટની હાનિ અને અદૃષ્ટની કલ્પના અતિબાધક છે. ।।૧૪।।
ટીકા ઃ
अपेक्ष्य इति - केवलेन कर्मणा चित्रफलजनने कालभेदे चापेक्ष्ये = अपेक्षणीये हेत्वैक्यं कारणैक्यं परिशिष्यते, तत्क्षणविशिष्टकार्यत्वावछिन्ने तत्क्षणस्य हेतुत्वेनैवानतिप्रसङ्गाद् देशनियमस्य च स्वभावत एवोपपत्तेः ।
ટીકાર્યઃ
વલેન ..... ોવવત્તેઃ । અને કેવળ કર્મ વડે=પુરુષકાર-નિરપેક્ષ દૈવ વડે, ચિત્રળની ઉત્પત્તિમાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે-તદ્નદ્ કાળસંબંધરૂપ વિપાકથી દૈવ ફળ આપે છે, એ રૂપ કાળભેદ અપેક્ષણીય હોતે છતે, હેતુનું એક્સ=કારણનું એક્ય=દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય, અવશેષ રહે છે અર્થાત્ દૈવને કારણ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ તત્ક્ષણ સર્વ કાર્ય કરે છે, એ પ્રકારે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહે છે.
દૈવને સ્વીકાર્યા વગર તત્ક્ષણથી સર્વ કાર્યની સંગતિ કઈ રીતે થઈ શકે છે ? તેમાં હેતુ બતાવે છે
તત્ક્ષણવિશિષ્ટ કાર્યત્વાવચ્છિન્નમાં=તે ક્ષણમાં થતાં સર્વ કાર્યોમાં, તત્ક્ષણનું હેતુપણું હોવાને કારણે જ અનતિપ્રસંગ છે અર્થાત્ દૈવથી કાર્ય થાય છે તેમ સ્વીકારીએ તો જે ક્ષણમાં દૈવથી કાર્ય થયું તેની પૂર્વની ક્ષણોમાં પણ દૈવ વિદ્યમાન હોવાને કારણે કાર્ય થવાનો અતિપ્રસંગ આવે, અને તે અતિપ્રસંગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org