________________
૪૯
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪
અહીં સાંખ્યદર્શનવાળા કહે છે કે પૂર્વભવનું દેવ વર્તમાન ભવના પ્રયત્ન દ્વારા ફળ આપે છે. તેથી વર્તમાન ભવનો પ્રયત્ન ધાર છે અને પૂર્વભવનું દેવ સાક્ષાત્કારણ છે, અને જે દ્વાર હોય તે ગૌણ કહેવાય. તેથી કાર્ય પ્રત્યે મુખ્ય તો દેવ છે, આ ભવનો યત્ન તો ગૌણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જેમ પ્રાગુભવીય દેવ આ ભવના યત્ન દ્વારા ધનપ્રાપ્યાદિ કરાવે છે, એમ કહી શકાય છે, તેમ પ્રાગુભવીય દેવ ઉપાર્જન કરવા માટે જે પૂર્વભવમાં યત્ન કરાયેલો તે યત્ન દેવ દ્વારા આ ભવમાં ફળ આપે છે, એમ કહીએ ત્યારે, પ્રાભવીય યત્ન મુખ્ય કારણ છે, અને દેવ વ્યાપારરૂપ છે માટે ગૌણ છે. એમ પણ કહી શકાય છે. તેથી સર્વત્ર દેવ મુખ્ય કારણ છે, એમ કહી શકાય નહીં; પરંતુ વિવક્ષાથી જેમ પૂર્વભવમાં બંધાયેલ દૈવ આ ભાવના વ્યાપાર દ્વારા ધનપ્રાપ્યાદિરૂપ ફળ આપે છે, તેમ વિચક્ષાથી પૂર્વભવનો યત્ન દેવ દ્વારા આ ભવમાં ફળ આપે છે, એમ પણ કહી શકાય. તેથી દેવ અને પુરુષકાર પરસ્પર એકબીજાની અપેક્ષા રાખીને કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, એમ માનવું ઉચિત છે. II૧૩ અવતરણિકા :
સાંખ્યદર્શનવાળા એકાંતે કાર્ય પ્રત્યે કર્મને કારણ માને છે, અને કહે છે કે તે તે કાળના સંબંધ-લક્ષણ વિપાકથી કર્મ ફળ આપનાર છે. સાંખ્યદર્શનની આ માન્યતા શ્લોક-૧૨માં સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨ અને ૧૩થી નિરાકરણ કર્યું કે કાર્યમાત્ર પ્રત્યે માત્ર દેવ કારણ નથી, પરંતુ દૈવ અને પુરુષકાર ઉભય કારણ છે. હવે કાળભેદથી દેવને જ ફળ આપનાર સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – શ્લોક :
अपेक्ष्ये कालभेदे च हेत्वैक्यं परिशिष्यते ।
दृष्टहानिरदृष्टस्य कल्पनं चातिबाधकम् ।।१४।। અન્વયાર્થ :
અપેક્ષ્ય નિમેન્ટે ર=અને કાળભેદ અપેક્ષણીય હોતે છતે-કેવળ કર્મથી જુદાં જુદાં કાર્યો કરવામાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે, દેત્રેવયં-કારણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org