________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩
અહીં પૂર્વપક્ષી કહે કે પૂર્વભવનું દૈવ આ ભવના રાજસેવાદિરૂપ યત્ન દ્વારા ધનાદિની પ્રાપ્તિ કરાવે છે. તેથી આ ભવનો રાજસેવાદિરૂપ યત્ન દ્વાર છે માટે ગૌણ છે, અને પૂર્વભવનું દૈવ દ્વાર નથી, પરંતુ ધનપ્રાપ્તિ આદિનું સાક્ષાત્ કારણ છે, માટે મુખ્ય છે. તેથી દેવથી જ ફળ મળ્યું છે, પુરુષકારથી નહીં, તેમ માનવું જોઈએ. તેથી કહે છે –
૪.
અને દ્વારપણા વડે=વ્યાપારપણા વડે, કહેવાતું ગૌણપણું=પુરુષકારમાં કહેવાતું ગૌણપણું, ઉભયત્ર=યત્ન અને કર્મમાં અર્થાત્ પુરુષકાર અને દૈવમાં, દુર્વચ નથી; કેમ કે ઐહિક યત્નનું કર્મના−દૈવના વ્યાપારપણાની જેમ, પ્રામ્ભવીય કર્મનું પણ=દૈવનું પણ પ્રામ્ભવીય યત્નનું વ્યાપારપણું સમાન છે, એ પ્રકારનો ભાવ છે. ।।૧૩।।
ભાવાર્થ:
પુરુષકાર બંને દ્વાર હોવાને કારણે અપેક્ષાએ બંનેમાં ગૌણત્વ - સાંખ્યદર્શનવાળા પુરુષ અને પ્રધાન એમ બે મુખ્ય તત્ત્વો માને છે અને પુરુષને નિષ્ક્રિય કહે છે અને પ્રધાન અર્થાત્ કર્મ સર્વ કાર્યને કરે છે, તેમ કહે છે. આ ‘કર્મ જ એકાંતે સર્વ કાર્ય કરે છે', એ પ્રકારની સાંખ્યદર્શનની માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ પૂર્વશ્લોકમાં બતાવ્યું કે પૂર્વભવમાં જીવથી કરાયેલું જે કર્મ છે, તે દૈવ છે, અને આ ભવમાં જીવ જે પ્રવૃત્તિ કરે છે તે પુરુષકાર છે. પૂર્વભવનું અર્જિત કર્મ આ ભવના વાણિજ્ય-રાજસેવાદિ ક્રિયા વગર ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્યને કરતું નથી. તેથી ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્ય પ્રત્યે પૂર્વભવનું કર્મ અને આ ભવની ક્રિયા, બંનેનો અન્વય-વ્યતિરેક સમાન છે અર્થાત્ જે જીવનું પૂર્વભવનું પુણ્ય છે અને તે જીવ ધનપ્રાપ્ત્યાદિ માટે યત્ન કરે તો તે જીવને ધનપ્રાપ્ત્યાદિરૂપ ફળપ્રાપ્તિ થાય છે, અને જે જીવનું પૂર્વભવનું પુણ્ય નથી તે જીવ ધનપ્રાપ્ત્યાદિ માટે યત્ન કરે તોપણ ધનપ્રાપ્તિ થતી નથી, અને પૂર્વભવનું પુણ્ય હોવા છતાં આ ભવમાં યત્ન ન કરે તોપણ ધનપ્રાપ્ત્યાદિ થતી નથી. તેથી પૂર્વભવનું પુણ્ય અને આ ભવનો યત્ન બંને ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્ય પ્રત્યે કારણ છે. માટે ધ્રુવ અને પુરુષકાર પરસ્પરની અપેક્ષા રાખીને સર્વ કાર્યો કરે છે.
દૈવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org