SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ દૈવને કારણે આ ભવના અલ્પ યત્નથી ફળની પ્રાપ્તિ થાય છે. આથી જ પૂર્વભવમાં ઉત્તમ સંયમ પાળીને ભરત મહારાજાએ પોતાના ચારિત્રમોહનીયકર્મને અત્યંત સોપક્રમ કરેલું, તેથી આ ભવમાં અત્યંત સોપક્રમ પામેલા તે કર્મના બળથી અને વર્તમાન ભવના અલ્પ આયાસથી ભરત મહારાજાને ક્ષપકશ્રેણી પ્રાપ્ત થઈ. તેની જેમ સંસારના ક્ષેત્રમાં પણ કોઈક જીવે પૂર્વભવમાં કોઈક રીતે લાભાંતરાય કર્મનો અત્યંત ક્ષયોપશમ કરેલ હોય તો આ ભવમાં અલ્પ પ્રયત્નથી પ્રચુર ધન મેળવી શકે છે. વળી કોઈક સ્થાનમાં કેવળ પૂર્વભવનું અલ્પ દેવ હોય અને આ ભવનો ઉત્કૃષ્ટ યત્ન હોય તો કાર્ય નિષ્પન્ન થાય છે. જેમ ઋષભદેવ ભગવાને પણ પૂર્વભવમાં સંયમ પાળીને ચારિત્રમોહનીયકર્મને સોપક્રમ કરેલ, તોપણ ભરત મહારાજાના જેટલાં અત્યંત સોપક્રમ કર્મો ઋષભદેવ ભગવાનનાં ન હતાં. તેથી સંયમ ગ્રહણ કરીને હજાર વર્ષ સુધી અસંગભાવમાં અત્યંત યત્ન કર્યો, તેનાથી ક્ષપકશ્રેણી પ્રગટી. તેથી ભરત મહારાજાની અપેક્ષાએ ઋષભદેવ ભગવાનનાં ચારિત્રમોહનીયકર્મો અલ્પ સોપક્રમભાવને પામેલાં હોવાને કારણે ભરત મહારાજાની અપેક્ષાએ પ્રચુર ઉદ્યમથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી સોપક્રમભાવવાળાં ચારિત્રમોહનીયકર્મોઅને ચારિત્રને અનુકૂળ ઉદ્યમથી કેવળજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષા રાખીને સર્વ કાર્ય કરનારા છે. ટીકામાં કહ્યું કે ફળવિશેષના ઉત્કર્ષના પ્રયોજક એવા ઉત્કર્ષવાનપણારૂપે પણ દેવ અને પુરુષકાર અન્યોન્ય અપેક્ષાવાળા છે. તેનાથી એ કહેવું છે કે કોઈ જીવને વર્તમાનમાં અલ્પ પ્રયત્નથી ફળ વિશેષ પ્રાપ્ત થાય છે, ત્યાં ઉત્કટ દેવ બાંધવાને અનુકૂળ પૂર્વભવમાં ઉત્કૃષ્ટ પુરુષકાર હતો. તેથી ફળ વિશેષમાં ઉત્કર્ષના પ્રયોજક દેવ અને પુરુષકાર બને છે; કેમ કે આ ભવમાં દૈવનો ઉત્કર્ષ છે, તો તે દૈવને નિષ્પન્ન કરવાને અનુકૂળ પૂર્વભવમાં પુરુષકારનો ઉત્કર્ષ હતો. તેથી પૂર્વભવના ઉત્કર્ષવાળા પુરુષકારથી આ ભવના ઉત્કર્ષવાળા દેવ દ્વારા ઉત્કર્ષવાળું ફળ મળ્યું. તેથી કાર્યના ઉત્કર્ષપણામાં દેવ અને પુરુષકાર ઉત્કર્ષપણારૂપે પરસ્પર સંલગ્ન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy