________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૧
૪૧ આ રીતે-પૂર્વના બે શ્લોકમાં=શ્લોક-૩૨૨-૩૨૩માં વર્ણન કર્યું એ રીતે, અન્યોન્ય સંશ્રયવાળા બંને પણ આ=દેવ અને પુરુષકાર, બુદ્ધિમાન પુરુષો વડે કહેવાયા છે.” (યો.બિ. શ્લોક-૩૨૪) ૧૧
‘ત્નવશેષોન્ઝર્વપ્રયોનકોર્ષવરૂપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે આ ભવનું ઉત્કર્ષવાળુ દેવ અને આભવનો અપકર્ષવાળો પ્રયત્ન એ રીતે તો દૈવ અને પુરુષકાર ફળજનન પ્રત્યે પરસ્પર અપેક્ષાવાળા છે, પરંતુ પૂર્વભવનો ઉત્કટ પુરુષકાર અને આ ભવનું ઉત્કટ દૈવ, એ રીતે ઉત્કર્ષપણારૂપે પણ ફળવિશેષના ઉત્કર્ષના જનન પ્રત્યે પરસ્પર બંને અપેક્ષાવાળા છે. ભાવાર્થ :દેવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ હોવાને કારણે કાર્ય પ્રત્યે દેવને જ હેતુ સ્વીકારનાર મતનું નિરાકરણ :
કોઈક કાર્યમાં અલ્પ પ્રયત્ન કરવા છતાં દેવના ઉત્કર્ષને કારણે ફળનો ઉત્કર્ષ થાય છે. જેમ કોઈ પુરુષ ધન કમાવા માટે અલ્પ પ્રયત્ન કરે છતાં ઘણું ધન પ્રાપ્ત થાય છે, તેથી તે સ્થાનમાં દેવ પ્રચુર છે. તેમ કોઈક સ્થાનમાં યત્ન પણ વ્યાપારબહુલ=પ્રચુર, હોય છે. જેમ કોઈ પુરુષ અલ્પ પ્રયત્ન કરે તો અલ્પ ધન મેળવે છે અને ઘણો પ્રયત્ન કરે તો ઘણું ધન મેળવે છે. તેથી ઘણા ધનની પ્રાપ્તિરૂપ ફળના ઉત્કર્ષ પ્રત્યે યત્ન પણ પ્રચુર દેખાય છે. તેથી જેઓ “દેવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, માટે દેવ જ ફળનો હેતુ છે, યત્ન નહીં એમ કહે છે, તે વાત બરાબર નથી; કેમ કે કોઈક સ્થાનમાં દેવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તેમ કોઈક સ્થાનમાં યત્નના ઉત્કર્ષથી પણ ફળનો ઉત્કર્ષ દેખાય છે. વળી જે સ્થાનમાં દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તે સ્થાનમાં આ ભવનો પ્રચુર યત્ન દેખાતો નથી, ત્યાં પણ પૂર્વભવનો વ્યાપારબહુલ= પ્રચુર યત્ન આવશ્યક છે.
તેથી એ ફલિત થયું કે પૂર્વભવના યત્નની પ્રચુરતાને કારણે ઉત્કટ દેવ પ્રગટ થયું, અને તેના કારણે આ ભવમાં અલ્પ પ્રયત્નથી ઉત્કૃષ્ટ ફળ મળ્યું. તેથી ફળ પ્રત્યે કોઈક સ્થાનમાં પૂર્વભવનો યત્ન ઉત્કૃષ્ટ હોય છે ત્યાં આ ભવનું દૈવ ઉત્કૃષ્ટ હોય છે, તેથી પૂર્વભવના ઉત્કૃષ્ટ યત્નથી ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org