________________
૩૨
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ (૩) પ્રયત્નનું કાર્ય - પ્રયત્નથી થતા કાર્યમાં દૈવની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો ? અર્થાત્ પ્રયત્નથી કાર્ય થાય છે, ત્યાં તે પ્રયત્ન દેવની કારણરૂપે અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ. તેથી ફળ પ્રત્યે કુર્વકૂપવૅન પુરુષકાર જ કારણ છે, દેવ તો પુરુષકારની અપેક્ષા રાખે છે માટે કારણ નથી, તેમ કહી શકાય નહીં. એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે.
“સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને વ્યવહારવાદીએ પૂર્વમાં દૂષિત કર્યું. હવે તેની પુષ્ટિ કરવા માટે તે યુવતું ..... થી કહે છે –
જેમ –
ઘટાદિ કાર્યો કુવૈદ્રપત્વવાળી માટીથી થાય છે ત્યારે સહકારી એવા દંડાદિનું સમવધાન પણ દેખાય છે. આમ, સહકારીના સમવધાનથી કુર્ઘદ્રપત્વવાળી માટી ઘટરૂપ કાર્ય કરે છે, તેવું દેખાતું હોય ત્યારે, દૃષ્ટ એવાં સહકારી કારણ નથી, અને કુર્ઘદ્રપત્વવાળી માટી ઘટ પ્રત્યે હેતુ છે, તે પ્રમાણે કહેવું યુક્ત નથી.
તેમ
દૈવ અને પુરુષકારમાંથી જેમાં કુર્વકૂપ હોય તે જ કારણ છે, અને તેનાથી અન્ય એવું દેવ કે પુરુષકાર પણ કાર્ય કરવા પ્રત્યે સહકારીરૂપે દેખાતું હોય ત્યારે તેનો બાધ કરી શકાય નહીં. જેમ કોઈ જીવે દેવથી સ્ત્રીશરીર બનાવ્યું તે વખતે કુર્વદ્રપત્વવાળું દેવ હોવા છતાં જીવના તે પ્રકારના પુરુષકારના સહકારથી જ દેવે સ્ત્રીનું શરીર નિર્માણ કર્યું છે, પરંતુ પુરુષકારના સહકાર વગર માત્ર દેવથી સ્ત્રીશરીર બન્યું નથી. માટે સહકારીરૂપે દૃષ્ટ એવા પુરુષકારનો અપલાપ કરવો યુક્ત નથી. III અવતરણિકા :
विशिष्येत्यादिनोक्तं दूषयति - અવતરણિકાર્ચ -
વિશિષ્ટ ઈત્યાદિ દ્વારા=વિશિષ્ય ઈત્યાદિરૂપ શ્લોક-૪નાં વચનો દ્વારા, કહેવાયેલું નિશ્ચયનયવાદી વડે કહેવાયેલું, દૂષિત કરે છે=વ્યવહારનયવાદી ખંડન કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org