________________
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૯
૩૧ દેવની ઉત્પત્તિમાં અતિરિક્ત હેતુની અપેક્ષા નિશ્ચયનય સ્વીકારી શકતો હોય તો તે દેવના કાર્ય પ્રત્યે પણ તે દૈવથી અતિરિક્ત પુરુષકારને કારણરૂપે નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ; એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે. વળી જેમ દૈવને-કમને, પોતાના પરિણામમાં વિપાકરૂપે પરિણમન પામવામાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષા છે, તેમ દેવને પોતાનું કાર્ય કરવામાં પુરુષકારની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો છે ? અર્થાત્ જેમ નિશ્ચયનય પોતાની ઉત્પત્તિમાં અને પોતાના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા સ્વીકારે છે, તેમ પોતાના કાર્યની નિષ્પત્તિમાં પણ અન્ય કારણની અપેક્ષા રાખે છે, તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ; એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે.
વળી, જેમ કુર્ઘદ્રપત્વવાળા દેવને કારણરૂપે સ્વીકારીને નિશ્ચયનયવાદી પુરુષકારને કારણ સ્વીકારતો નથી, તેમ કોઈક સ્થાનમાં કુર્ઘદ્રુપતવાળા પુરુષકારને કારણરૂપે ગ્રહણ કરીને નિશ્ચયનયવાદી દેવને કાર્ય પ્રત્યે કારણ સ્વીકારતો નથી, તે સ્થાનમાં પણ નિશ્ચયનયવાદીને વ્યવહારનયવાદી કહે છે –
જો પુરુષકાર પોતાની નિષ્પત્તિમાં અને પોતાના પરિણામમાં અતિરિક્ત હેતુને સ્વીકારતો હોય તો પુરુષકારના કાર્ય પ્રત્યે પણ નિશ્ચયનયે દેવને કારણરૂપે સ્વીકારવું જોઈએ. તે આ રીતે – (૧) પ્રયત્નની ઉત્પત્તિ (૨) પ્રયત્નનો પરિણામ (૩) પ્રયત્નનું કાર્ય (૧) પ્રયત્નની ઉત્પત્તિ - પ્રયત્નની ઉત્પત્તિમાં કોઈક એવા પ્રકારનું નિમિત્ત કે કોઈકનો ઉપદેશ કારણ બને છે. તેથી તે વ્યક્તિ ઉત્સાહિત થઈને પ્રયત્ન કરવાનો પ્રારંભ કરે છે.
(૨) પ્રયત્નનો પરિણામ :- પ્રયત્નને સમ્યક્ પરિણમન પમાડવા માટે બોધ ન હોય તો પ્રયત્ન સમ્યક બને નહીં. તેથી પ્રયત્નને સમ્યક બનાવવા માટે ઉપદેશાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષા છે.
તેથી નિશ્ચયનય પ્રયત્નરૂપ હેતુની ઉત્પત્તિમાં અને પ્રયત્નના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતો હોય તો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org