________________
૩૦
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯ સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતું હોય તો સ્ત્રીશરીરરૂપ કાર્ય કરવા પ્રત્યે દેવ પુરુષકારની કારણ તરીકે અપેક્ષા રાખે છે, તેમ સ્વીકારવામાં શું વાંધો ?
અર્થાત્ સ્ત્રીશરીર બનાવવામાં જેમ દેવ કારણ છે તેમ પુરુષકારના સહકારની • પણ દેવ અપેક્ષા રાખે છે, તેથી પુરુષકાર પણ કારણ છે તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ. તે આ રીતે – (૧) દેવની ઉત્પત્તિ (૨) દેવનો પરિણામ=વિપાક (૩) દેવનું કાર્ય (૧) દેવની ઉત્પત્તિ :- દેવની ઉત્પત્તિમાં પૂર્વના દેવથી અતિરિક્ત કર્મ બાંધવાને અનુકૂળ પુરુષકાર કારણ છે.
(૨) દેવનો પરિણામવિપાક:- દેવ વિપાકોદયને પામે તેમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ હેત્વન્તરની અપેક્ષા છે.
તેથી નિશ્ચયનય દેવરૂપ હેતુની ઉત્પત્તિમાં અને દેવના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતો હોય તો –
(૩) દેવનું કાર્ય - દેવથી થતા સ્ત્રી શરીરની નિષ્પત્તિરૂપ કાર્યમાં પુરુષકારની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો ? અર્થાત્ નિશ્ચયનયે દૈવથી કાર્ય થાય છે ત્યાં, પુરુષકારની કારણરૂપે અપેક્ષા રાખીને દૈવ કાર્ય કરે છે, તેમ સ્વીકારવું જોઈએ. તેથી ફળ પ્રત્યે કુર્ઘદ્રપÖન દેવ જ કારણ છે, પુરુષકાર તો દેવની અપેક્ષા રાખે છે, માટે કારણ નથી, તેમ સ્વીકારી શકાય નહીં.
આશય એ છે કે પૂર્વના કર્મથી ઉત્તરનું કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વનું કર્મ ઉત્તરના કર્મની નિષ્પત્તિ પ્રત્યે કારણ છે, તેમ ઉત્તરના કર્મની નિષ્પત્તિ પ્રત્યે જીવનો પુરુષકાર પણ હેતુ છે. તેથી જે જીવે સ્ત્રીશરીર બનાવવાને અનુકૂળ કર્મ બાંધ્યું તે જીવે તે પ્રકારનો પુરુષકાર કર્યો, તેથી સ્ત્રી શરીરને અનુકૂળ કર્મ બંધાયું, એમ નિશ્ચયનય પણ સ્વીકારે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સ્ત્રીશરીરના કર્મબંધને અનુકૂળ તથાપ્રકારનું મોહઆપાદક પૂર્વનું કર્મ કારણ છે, તેમ પૂર્વના કર્મથી અતિરિક્ત એવો પુરુષકાર પણ=તેવા પ્રકારના અધ્યવસાયને અનુકૂળ વ્યાપાર પણ, તે સ્ત્રી શરીરની નિષ્પત્તિને અનુકૂળ કર્મબંધ પ્રત્યે કારણ છે. તેથી કાર્યની નિષ્પત્તિના કારણભૂત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org