SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ દેવપુરુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૯ ભાવાર્થ : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “નિશ્ચય અને વ્યવહારથી અમે વિચાર કરીશું.” ત્યાર પછી નિશ્ચયનયથી વિચારણાનો પ્રારંભ કરતાં કહ્યું કે “નિશ્ચયનય અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારમાંથી કોઈ એકથી કાર્ય ઉત્પન્ન થાય છે તેમ માને છે', અને તેમ સ્વીકારવા માટે શ્લોક-૩માં નિશ્ચયનયે યુક્તિ આપી કે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે.” તેથી વ્યવહારનયવાદી હવે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે એ પ્રકારની નિશ્ચયનયની યુક્તિને દૂષિત કરવા માટે કહે છે -- શ્લોક : यदीष्यते परापेक्षा स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता न युक्तं दृष्टबाधनम् ।।९।। અન્વયાર્થ : સ્વોત્પત્તિપરિપામ=સ્વઉત્પત્તિ અને પરિણામમાં દેવ અને પુરુષકારમાંથી નિશ્ચયનય જે સ્થાને જેને કારણ સ્વીકારે છે તે કારણરૂપ હેતુની ઉત્પતિમાં અને પરિણામમાં પરીક્ષા પરની અપેક્ષા દ્રિ-જો તે ઈચ્છાય છેનિશ્ચયનય વડે સ્વીકારાય છે, તર્દિકતો વહેંડપિ કાર્યમાં પણ સી યુવતી તે યુક્ત છે અન્ય હેતુની અપેક્ષા યુક્ત છે. વૃષ્ટબીન ર યુવતંત્રદષ્ટનું બાધન યુક્ત નથી=કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણરૂપે દષ્ટ હોવા છતાં, સાપેક્ષ હોય એ સમર્થ હોય' એમ કહીને દષ્ટ કારણનો અસ્વીકાર કરવો યુક્ત નથી. છેલ્લા શ્લોકાર્ય : સ્વઉત્પત્તિ અને પરિણામમાં પરની અપેક્ષા જો ઈચ્છાય છે નિશ્ચયનય વડે સ્વીકારાય છે, તો કાર્યમાં પણ તે અન્ય હેતુની અપેક્ષા, યુક્ત છે; દિષ્ટનું બાધન યુક્ત નથી. II૯ll. વાવેંડપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે હેતુમાં તો પરની અપેક્ષા યુક્ત છે, પરંતુ કાર્યમાં પણ પરની અપેક્ષા યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy