________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯
૨૭
નિષેધવાળો વિપર્યાસ છે અર્થાત્ ‘આ કાર્ય દૈવકૃત છે' એ વિધિ યથાર્થ હોવા છતાં ‘પુરુષકા૨કૃત નથી' એ નિષેધ ભ્રમાત્મક છે.
આવો ભ્રમ થવાનું કારણ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જે કારણથી એક વિષયથી ઉપરક્ત વસ્તુને ગ્રહણ કરવાના તીવ્ર અભિલાષવાળો પુરુષ અન્ય વિષયને ઇચ્છતો નથી. જેમ દ્રવ્યાસ્તિકનયના વિષયથી ઉપરક્ત વિષયને ગ્રહણ કરવાના તીવ્ર અભિલાષવાળા પુરુષો આત્માને નિત્ય કહે છે ત્યારે, મનુષ્યાદિ ભવને આશ્રયીને પોતાના આત્માની અનિત્યતા સ્પષ્ટ દેખાતી હોવા છતાં તે વિષયને ગ્રહણ કરતા નથી; તેમ કોઈ જીવે સ્ત્રીનું શરીર બનાવ્યું ત્યારે તે કાર્યને જોઈને ‘દૈવથી આ શરીર થયું છે' એ પ્રકારના ગ્રહણના તીવ્ર અભિલાષવાળા તેઓ શરીરની રચનાકાળમાં સ્ત્રીશ૨ી૨ને અનુકૂળ કરાતો જીવનો યત્ન ગૌણરૂપે હોવા છતાં તેને ગ્રહણ કરતા નથી, અને તેથી કહે છે કે “દૈવથી જ સ્ત્રીનું શરીર થાય છે, પુરુષકા૨થી નહીં.”
આનાથી શું પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરવા કહે છે
આ રીતે—એક વિષયથી ઉપરક્ત વસ્તુના ગ્રહણના તીવ્ર અભિલાષવાળા પુરુષો અન્ય વિષયને ઇચ્છતા નથી એ રીતે, એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાને કારણે અન્ય ધર્મનું ગ્રહણ થતું નથી અને અન્ય ધર્મના અભાવનું ગ્રહણ થાય છે. આથી જ “દૈવથી આ કાર્ય કરાયું છે” એ પ્રકારના ગ્રહણમાં તેની ઉત્કટ જિજ્ઞાસાથી ‘પુરુષકારથી આ કાર્ય કરાયું છે' તેમ ગ્રહણ થતું નથી, પરંતુ પુરુષકારના અભાવથી થયું છે તેમ ગ્રહણ થાય છે; અને આ પદાર્થોનો વિસ્તાર ઉપદેશપદમાં પ્રસિદ્ધ છે, અને ગ્રંથકારશ્રીએ ઉપદેશ રહસ્ય ગાથા-૫૩માં આનો વિસ્તાર કર્યો છે, અને ઉપદેશરહસ્યમાં ‘આ નયવચન છે, માટે દોષરૂપ નથી', તેમ સ્વયં ગ્રંથકારશ્રીએ ખુલાસો કરેલ છે, તેથી જિજ્ઞાસુએ ત્યાંથી જાણવું, Ill
અવતરણિકા :
सापेक्षमसमर्थमिति दूषयितुमाह
-
અવતરણિકાર્ય :
‘સાપેક્ષ અસમર્થ છે' એને દૂષિત કરવા માટે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org