________________
૨૬
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૮ ટીકાર્ય -
ચડ્યું...... ડામ: અથવા આ= આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી, ઈત્યાદિ વ્યવહાર, અભિમાનના વશથી=અહંકાર દોષના વશથી, વિધ્યાદિ વિષયવાળો વિધિ અને નિષેધ વિષયવાળો, ભ્રમ=વિપર્યાય છે;
જે કારણથી, એક સ્થાનમાં એક નયની દૃષ્ટિમાં, તિવિષ્ટ બુદ્ધિવાળો એક વિષયથી ઉપરક્તના ગ્રહણમાં તીવ્ર અભિલાષવાળો, અન્ય વિષયને અવ્ય લયના વિષયને, ઈચ્છતો નથી; અને આ રીતેએક વિષયથી ઉપરક્તના ગ્રહણમાં તીવ્ર અભિલાષવાળો પુરુષ અન્ય નયના વિષયને ઈચ્છતો નથી એ રીતે, એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાથી જ="આ દેવકૃત છે' ઇત્યાદિરૂપ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાથી જ, અપર ધર્મનો અગ્રહ='આ પુરુષકારકૃત છે' એ પ્રકારના ધર્મનો અગ્રહ, અને તેના અભાવનો ગ્રહ અપર ધર્મના અભાવનો ગ્રહ અર્થાત્ પુરુષકારકૃતના અભાવનું ગ્રહણ, ઉપપન્ન થાય છે, એ પ્રકારનો ભાવ છે. ઉપદેશપદપ્રસિદ્ધ એવો આ અર્થ એકત્ર નિવિષ્ટ બુદ્ધિવાળો અન્ય વિષયને ઈચ્છતો નથી, એ પ્રકારનો ઉપદેશપદપ્રસિદ્ધ અર્થ, ઉપદેશ રહસ્ય શ્લોક-૫૩માં અમારા વડે=ગ્રંથકાર વડે વિસ્તાર કરાયો છે. [૮]
ભાવાર્થ :
પૂર્વશ્લોક-૭ની ટીકામાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરી કે “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી” એ પ્રકારના વ્યવહારમાં ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે. માટે વ્યવહારનયવાદીને સર્વ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારને કારણ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ કથનમાં અન્ય વિકલ્પ બતાવવા માટે વા' કારથી કહે છે, અને તે અન્ય વિકલ્પ આ પ્રમાણે છે --
પૂર્વશ્લોકમાં બતાવાયેલો વિકલ્પ સ્યાદ્વાદષ્ટિને જોનારા વિશેષદર્શીનો છે, અને પ્રસ્તુત શ્લોકમાં બતાવાયેલ વિકલ્પ એક નયથી જોનારા અવિશેષદર્શીનો છે.
એક નયની દૃષ્ટિને જોનારાઓને અભિમાન હોય છે કે “પોતે જે પદાર્થ જુએ છે તે તેમ જ છે.” આ પ્રકારના અહંકારના દોષને કારણે એક નયની દૃષ્ટિવાળા જીવોનું “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી' એ પ્રકારનું કથન, વિધિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org