________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૬-૭
આનાથી એ ફલિત થાય કે કાર્ય કરવા પ્રત્યે જેનું સામર્થ્ય અનુત્કટ હોય તે ગૌણ છે, તે ક્વચિત્ અલ્પ પણ હોય કે અધિક પણ હોય, પરંતુ અલ્પ છે માટે ગૌણ છે એવો નિયમ નથી, પણ અનુત્કટ છે માટે ગૌણ છે એવો નિયમ છે. જેમ કોઈ જીવ સ્ત્રીનું શરીર બનાવે ત્યારે સ્ત્રી શરીરનિષ્પત્તિ પ્રત્યે દૈવ ઉત્કટ છે અને પુરુષકાર અનુત્કટ છે. માટે સ્ત્રીશરીરનિષ્પત્તિ પ્રત્યે પુરુષકાર ગૌણ છે.
વળી મુખ્યતા ઉત્કટપણું છે=કાર્ય પ્રત્યે દેવ અને પુરૂષકારમાંથી જે ઉત્કટ હોય તે મુખ્ય છે. અર્થાત્ કોઈ જીવે સ્ત્રીશરીર બનાવ્યું, તેમાં તે જીવનું પૂર્વનું કરાયેલું કર્મ ઉત્કટ કારણ છે, માટે મુખ્ય છે.
અને આ બંને=દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલ ગૌણત્વ અને મુખ્યત્વ આ બંને, “આ કાર્ય દેવકૃત છે અથવા આ કાર્ય પુરુષકાર કૃત છે એ પ્રકારના પ્રત્યેકજન્યત્વના વ્યવહારમાં નિયામક છે.
વસ્તુતઃ વ્યવહારનયથી સર્વ કાર્ય દેવ અને પુરુષકાર ઉભયજન્ય હોવાથી આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારનો વ્યવહાર થાય નહીં. તેથી ગૌણ-મુખ્યને આશ્રયીને પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર સ્વીકારવામાં ન આવે તો તે વ્યવહારને અપ્રામાણિક માનવાનો પ્રસંગ આવે.
આનાથી એ ફલિત થયું કે નિશ્ચયનય દેવ અને પુરુષકારમાંથી જે કારણમાં કુર્વપત્વ છે, તેને જ કારણ સ્વીકારે છે, અન્યની કારણતાનો અપલાપ કરે છે. વળી, વ્યવહારનય દેવ અને પુરુષકારને બંનેને કારણે સ્વીકારે છે, તોપણ દેવ અને પુરુષકારમાંથી જે કારણ મુખ્ય હોય તેને આશ્રયીને “આ કાર્ય દેવકૃત છે કે આ કાર્ય પુરુષકારકૃત છે એ પ્રકારનો વ્યવહાર કરે છે. Iકા અવતરણિકા -
एतदेव भावयति - અવતરણિકાર્ય :
આને જ સર્વ કાર્ય દેવ અને પુરુષકાર ઉભયજન્ય હોય છે, છતાં દેવ અને પુરુષકારમાં રહેલા ગૌણત્વ અને મુખ્યત્વને આશ્રયીને “આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે', એમ વ્યવહાર કરાય છે એને જ, ભાવન કરે છે–સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org