________________
૧૯
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/બ્લોક-૫-૬
જોઈએ; અને આવા બોધથી વિચારકમાં વાસનાવિશેષ પ્રગટે છે, જે વાસનાવિશેષથી જ ઘટનો અર્થ એવો તે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ક૨શે, અને તે દંડના બળથી ઘટની નિષ્પત્તિ પણ કરશે. તેથી ઘટનિષ્પત્તિ પૂર્વે અરણ્યસ્થ દંડાદિમાં ઘટસાધનત્વની બુદ્ધિ=ઘટના કારણપણાની બુદ્ધિ કરવાની આવશ્યકતા રહેતી નથી; પરંતુ પૂર્વમાં બતાવેલ છે તે પ્રમાણેની વાસનાવિશેષથી જ અરણ્યસ્થ દંડાદિમાં ઘટના અર્થીની પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી નિશ્ચયનયને અભિમત એવાં કુર્વદ્નપત્વને જ કારણ સ્વીકારવામાં આવે તો લોકમાં અરણ્યસ્થ દંડ ઘટના કારણરૂપે પ્રસિદ્ધ છે, તેને વિફલ માનવાનો પ્રસંગ આવે.
આ પ્રકારની વ્યવહારનયવાદીની યુક્તિ સામે નિશ્ચયનયવાદી કહે છે : જે કારણમાં કુર્વદ્નપત્વ ન હોય તે કારણ નથી, અને અરણ્યસ્થ દંડમાં ઘટનું કુર્વદ્નપત્વ નથી માટે અરણ્યસ્થ દંડને કારણ ન સ્વીકારીએ તો દૃષ્ટ કારણને વિફલ માનવાનો પ્રસંગ અમને નથી.
તેથી વ્યવહા૨નયવાદી બીજો હેતુ કહે છે : પ્રકૃતમાં બાધકનો અભાવ છે. વ્યવહારનયવાદીનો આશય એ છે કે અનુભવસિદ્ધ પદાર્થ દેખાતો હોય, છતાં કોઈ બાધક મળે તો તે સ્વીકારી શકાય નહીં. જેમ દૂરવર્તી શુક્તિને જોઈને અનુભવથી ‘આ રજત છે’ તેવી બુદ્ધિ થઈ હોય, આમ છતાં પાસે જઈને જોવાથી ‘આ શક્તિ છે' એવું દેખાવાને કારણે તે પદાર્થને પ્રામાણિક પુરુષો રજતરૂપે સ્વીકારતા નથી. તેવું કોઈ બાધક અરણ્યસ્થ દંડમાં નથી; કેમ કે ઘટના અર્થી જીવો ઘટના કારણરૂપે દંડ છે, તેવું જ્ઞાન કરીને દંડમાં પ્રવૃત્તિ કરે છે અને તે દંડને પ્રાપ્ત કરીને તેનાથી ઘટરૂપ કાર્ય પણ કરે છે. માટે અરણ્યસ્થ દંડને ઘટનું કારણ સ્વીકારવામાં કોઈ બાધક નથી. તેથી સર્વ પ્રામાણિક વિચા૨કોને અરણ્યસ્થ દંડમાં ઘટસાધનત્વની બુદ્ધિ થાય છે, અને તે પ્રામાણિક બુદ્ધિના બળથી જ ઘટાદિના અર્થીની અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ થાય છે. તેમ દૈવ અને પુરુષકાર બંનેમાં પણ પ્રામાણિક રીતે કારણતાની બુદ્ધિ સ્વીકારતાં કોઈ બાધકની ઉપસ્થિતિ નથી. તેથી પ્રામાણિક વિચારકને કાર્યમાત્ર પ્રતિ સામાન્યથી દૈવ અને પુરુષકાર કારણરૂપે સંમત છે.
આ વિષયમાં અધિક ચર્ચા અન્ય ગ્રંથોમાંથી જાણવી. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org