________________
૧૭
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૫ કારણ સ્વીકારવામાં ન આવે, તો ઘટના અર્થીની અરણ્યસ્થ દંડમાં ઘટના કારણરૂપે બોધ કરીને જે પ્રવૃત્તિ થાય છે, તે થવી જોઈએ નહીં; કેમ કે ઘટની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારવાળા દંડને છોડીને અરણ્યસ્થ દંડમાં અરણ્યસ્થ અવસ્થાકાળમાં ઘટનું કુર્વિદ્રપત્વ નથી. માટે અરણ્યસ્થ દંડ ઘટનું કારણ નથી, તેમ માનવું પડે; અને તેમ સ્વીકારવાથી ઘટના અર્થીની અરણ્યસ્થ દંડમાં જે પ્રવૃત્તિ છે, તે સંગત થાય નહીં. તેથી કુર્ઘદ્રપત્વરૂપે કારણ સ્વીકારવાથી ઘટના અર્થીની દૃષ્ટ અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિનો બાધ છે.
આ પ્રકારે વ્યવહારનયવાદીએ નિશ્ચયનયવાદીને આપત્તિ બતાવી. તે આપત્તિના નિવારણ માટે નિશ્ચયવાદી કહે છે –
વસ્તુતઃ અરણ્યસ્થ દંડમાં કુર્વપત નથી, માટે કારણ નથી; તોપણ જે દંડથી ઘટરૂપ કાર્ય થયું તત્સદશ અરણ્યસ્થ દંડ છે, તેવો બોધ થવાને કારણે, ઘટનિષ્પત્તિની પૂર્વમાં પણ અરણ્યસ્થ દંડમાં “આ ઘટનિષ્પત્તિનું સાધન છે” તેવી બુદ્ધિ થાય છે, તેથી ઘટાર્થીની અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિ થાય છે; અને પોતાની વાતની પુષ્ટિ કરવા માટે નિશ્ચયનયવાદી કહે છે કે “આથી જ કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ થતો નથી.'
આશય એ છે કે કુર્ઘદ્રપત્રરૂપે કારણ સ્વીકારીએ તો કાર્ય થાય ત્યારે જ “આ કાર્યનું આ કારણ છે” તેમ નિર્ણય થાય. તેથી મહાનસમાં=રસોડામાં ધૂમ દેખાય ત્યારે નક્કી થાય કે આ મહાસમાં વર્તતા અગ્નિનું આ ધૂમ કાર્ય છે. આમ છતાં પર્વતમાં ધૂમને જોઈને વહ્નિનું અનુમાન થાય છે, તે સાદૃશ્ય ગ્રહના કારણે થઈ શકે છે; કેમ કે મહાનસમાં જેવો ધૂમ હતો તેવો ધૂમ પર્વત ઉપર દેખાય છે, ત્યારે અનુમાન થાય છે કે જે જાતીય ધૂમ મહાનસમાં છે, તજ્જાતીય ધૂમ પર્વતમાં છે, માટે આ ધૂમનું કારણ પણ અગ્નિ હોવો જોઈએ. આ પ્રકારનું કાર્યલિંગક અનુમાન થાય છે, તે સાદૃશ્ય ગ્રહને કારણે થાય છે. જો સાદશ્ય ગ્રહને કારણે અરણ્યસ્થ દંડમાં ઘટસાધન–બુદ્ધિ ન થતી હોય, પરંતુ ઘટ નિષ્પન્ન થાય, ત્યારે તે ઘટ પ્રત્યે જે દંડ કુર્વિદ્રુપતરૂપે કારણ હોય તે દંડમાં જ ઘટસાધન–બુદ્ધિ થતી હોય, તો પર્વતમાં દેખાતા ધૂમનું કુર્ઘદ્રપત્વવાળું એવું અગ્નિરૂપ કારણ દેખાતું નથી, તેથી દેખાતા ધૂમના બળથી “આ ધૂમનું કારણ અગ્નિ છે' તેવું અનુમાન થઈ શકે નહીં, પરંતુ સારશ્યની બુદ્ધિને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org