________________
પ
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ પડે છે, તે વાસના-વિશેષને કારણે, તેના વડે જન્નતે વાસતાવિશેષ વડે જ, પ્રવૃત્તિ આદિની ઉપપતિ થયે છતે ઘટાદિના અર્થીની અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ આદિની ઉપપત્તિ થયે છતે; દષ્ટ કારણના વૈફલ્યનો પ્રસંગ છેeઘટ પ્રત્યે દંડ કારણ છે, એ પ્રકારે પ્રત્યક્ષ જોવાયેલા દંડરૂપ કારણમાં કારણપણાના વૈફલ્યનો પ્રસંગ છે.
અહીં પૂર્વપક્ષી નિશ્ચયવાદી કહે કે અરણ્યસ્થ દંડમાં કુર્ઘદ્રપત્વ નથી, માટે તે કારણ નથી, તેથી તેમાં ઘટકારણના વૈફલ્યનો પ્રસંગ છે, એમ કેમ કહેવાય ? તેથી વ્યવહારવાદી બીજો હેતુ કહે છે –
અને પ્રકૃતિમાં બાધકનો અભાવ છે લોકમાં કારણરૂપે દષ્ટ એવા દંડમાં આ દંડ ઘટનું કારણ છે, એમ સ્વીકારવામાં બાધકનો અભાવ છે.
એ પ્રમાણેકવ્યવહારનયે સ્થાપન કર્યું કે સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણ છે એ પ્રમાણે, અન્યત્ર વિસ્તાર છે અન્ય ગ્રંથોમાં વિસ્તાર છે. પા.
‘પ્રવૃઘુપપત્તી' માં ‘મદિ' પદથી તે પ્રવૃત્તિ અનુસાર ફળની પ્રાપ્તિ છે, તેનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પૂર્વમાં વ્યવહારનયે સ્થાપન કર્યું કે સામાન્યથી સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણ છે, અને પોતાની માન્યતાની પુષ્ટિ કરવા માટે વ્યવહારનય કહે છે કે જે નિશ્ચયનયવાદી કુર્ઘદ્રપત્વને કારણ સ્વીકારે છે અને દેવ અને પુરુષકારમાંથી જે કુર્વિદ્રુપત્વવાળું છે તે કારણ છે, અને અન્ય કારણ નથી, તેમ કહે છે, તે નિશ્ચયનયવાદી દેવ અને પુરુષકારની સામાન્યથી કારણતાનો અપલાપ કરે છે, અને તે અપલાપ ઉચિત નથી; કેમ કે દેવ અને પુરુષકારમાંથી જે કારણ કુર્વકૂપત્યવાળું ન હોય તેને જો કારણ સ્વીકારવામાં ન આવે તો, તેની જેમ અરણ્યમાં રહેલ દંડ કુર્વિદ્રપત્વવાળો નથી, તેથી અરણ્યસ્થ દંડને પણ ઘટનું કારણ સ્વીકારી શકાય નહીં; અને ઘટનો અર્થી “આ દંડ ઘટનું કારણ છે' તેવી બુદ્ધિથી અરયસ્થ દંડમાં પ્રવૃત્તિ કરે છે, તે સંગત થાય નહીં; કેમ કે કુર્વદ્રપત્વવાળું જે કારણ હોય તેને જ કારણ સ્વીકારવામાં આવે, અને અન્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org