________________
૧૪
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ અને તેનું ઘટસાધતતાજ્ઞાનનું, ઘટના ઉપધાનથી=ઘટની નિષ્પત્તિથી, પૂર્વમાં અસિદ્ધિ છે. અર્થાત્ અરણ્યસ્થ દંડમાં ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટતું કુર્ઘદ્રપત્વ નથી, તેથી તેમાં ઘટ સાધનતાનું જ્ઞાન અસિદ્ધ છે.
ઘટની નિષ્પત્તિ પૂર્વે અરણ્યસ્થ દંડાદિમાં ઘટસાધનતાની બુદ્ધિ ન થઈ શકે, તેથી ઘટના અર્થીની ઘટના ઉપાયરૂપે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ન થઈ શકે; તોપણ અરણ્યસ્થ દંડાદિમાં કઈ રીતે ઘટસાધનતાની બુદ્ધિ કરીને પ્રવૃત્તિ થાય છે ? તે બતાવવા અર્થે નિશ્ચયનયને અવલંબન કરનાર વ્યવહારવાદીને કહે છે –
સાદશ્યતાગ્રહને કારણે જે દંડથી ઘટરૂપ કાર્ય થયેલું દેખાય છે, તે દંડમાં ઘટસાધનતાની બુદ્ધિ ઉત્પન્ન થયા પછી, તત્સટશ અરણ્યસ્થ દંડ છે, એ પ્રકારના સાશ્યતાના ગ્રહણને કારણે, પૂર્વમાં પણ=અરણ્યસ્થ દંડથી ઘટ નિષ્પન્ન થાય તેની પૂર્વમાં પણ, ત્યાં અરણ્યસ્થ દંડમાં, ઘટસાધતત્વની બુદ્ધિ થાય છે. આથી જ=સાદશ્યતાગ્રહથી અરણ્યસ્થ દંડાદિમાં પણ ઘટસાધનતાની બુદ્ધિ થાય છે આથી જ, કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ નથી=કાર્યલિંગથી કારણના અનુમાનતો ઉચ્છેદ નથી.
અહીં પ્રશ્ન થાય કે જે દંડ ઘટરૂપ કાર્ય કરતો નથી, તે અરણ્યસ્થ દંડમાં પણ સાદૃશ્યના ગ્રહથી ઘટસાધન–બુદ્ધિ કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે –
અતજ્જાતીયથી તજ્જાતીયની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે=કોઈક સ્થાને ઘટનિષ્પત્તિના કારણરૂપે દેખાતા દંડમાં રહેલ જે દંડત્વજાતિ છે, તે જાતિથી રહિત એવા અતજ્જાતીય અન્ય પદાર્થથી અદંડત્વજાતિથી, તજ્જાતીય=ઘટત્વજાતીય, કાર્યની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે. માટે અરણ્યસ્થ દંડમાં ઘટસાધનતાની બુદ્ધિ થાય છે.
આ પ્રમાણે જો નિશ્ચયવાદી કહે છે, તો વ્યવહારવાદી કહે છે – એ વાત બરાબર નથી, કેમ કે ત્યાં પણEસાદૃશ્યના ગ્રહને કારણે ઘટનિષ્પત્તિની પૂર્વે અરણ્યસ્થ દંડમાં ઘટસાધતત્વની બુદ્ધિ થાય છે, ત્યાં પણ, વાસનાવિશેષનું બીજપડ્યું હોવાને કારણે કોઈકને દંડથી ઘટ બનાવતાં જુએ ત્યારે તે જોવાની ક્રિયાથી આવો ઘટ બનાવવા માટે આ દંડમાં જેવી દંડત્વજાતિ છે તેવી જાતિવાળો દંડ આવશ્યક છે. આવો બોધ થાય છે, તેનાથી જે વાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org