________________
૧૨
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ गौणतयोपयुज्यते, किञ्चिच्च मुख्यतया, सामान्यतस्तु दैवं पुरुषकारं वा विना न किञ्चित्कार्य जायते इति सामान्यतः सर्वत्र हेतुत्वमनयोः । ટીકાર્ચ -
વ્યવહારતુ ... દેતુત્વમન: I વળી વ્યવહારનય અવયવ્યતિરેક દ્વારા કાર્યની સાથે હેતુની અવયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા, ગૌણમુખ્યશાળી એવા દેવ અને પુરુષકારરૂપ બંનેનું સર્વ કાર્યમાં હેતુપણું માને છે.
પૂર્વમાં કહ્યું કે વ્યવહારનય ગૌણમુખ્યશાળી એવા દેવ અને પુરુષકારને સર્વ કાર્ય પ્રત્યે હેતુ માને છે. તે પદાર્થને સ્પષ્ટ કરે છે –
કોઈક કાર્યમાં કોઈક=દેવ અને પુરુષકારમાંથી કોઈક, ગૌણપણાથી ઉપયોગી છે, અને કોઈક દેવપુરુષકારમાંથી કોઈક, મુખ્યપણાથી વળી ઉપયોગી છે. વળી સામાન્યથી ગૌણ-મુખ્યમી વિવેક્ષા વગર સામાન્યથી, દેવ અને પુરુષકાર વગર કોઈ કાર્ય થતું નથી. એથી સામાન્યથી સર્વત્ર સર્વ કાર્યમાં, આ બંનેનું દેવ અને પુરુષકારનું હેતુપણું છે. ભાવાર્થ :વ્યવહારનયથી ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંનેનો કારણરૂપે સ્વીકાર :
વ્યવહારનય સર્વ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારને કારણે માને છે; કેમ કે જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં ત્યાં દેવ અને પુરુષકારરૂપ બને કારણે વિદ્યમાન હોય, તે પ્રકારે અન્વયવ્યાપ્તિ છે, અને જ્યાં જ્યાં બંને કારણે વિદ્યમાન નથી, ત્યાં ત્યાં કાર્ય થતું નથી, એ પ્રકારની વ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી વ્યવહારનય કહે છે કે કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે; આમ છતાં કોઈક કાર્યમાં દેવ મુખ્ય હોય અને પુરુષકાર ગૌણ હોય, તો કોઈક કાર્યમાં પુરુષકાર મુખ્ય હોય અને દેવ ગૌણ હોય, આ પ્રકારની વ્યવહારનયની માન્યતા છે. તેથી ગૌણ-મુખ્યની વિવક્ષા કર્યા વગર સામાન્યથી દેવ અને પુરુષકાર વિના કોઈ કાર્ય થતું નથી. માટે સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org