________________
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩ હોવા છતાં કાર્ય પ્રત્યે વ્યાકૃત નહીં હોવાથી તે કાર્ય પ્રત્યે તેને કારણરૂપે નિશ્ચયનય સ્વીકારતો નથી.
આનાથી એ ફલિત થયું કે જ્યારે જીવ વચનપ્રયોગને અનુકૂળ કે ઉચિત સ્થાનની પ્રાપ્તિને અનુકૂળ વ્યાપાર કરે છે, ત્યારે કાર્ય કરવા પ્રત્યે કુર્ઘદ્રપત્વવાળા જીવનો ઉદ્યમ હોવાને કારણે, જીવના સ્વઉદ્યમથી વચનપ્રયોગ થાય છે કે જીવના સ્વઉદ્યમથી ઉચિત સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે વચનપ્રયોગરૂપ કાર્ય પ્રત્યે કે ઉચિત સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્ય પ્રત્યે જીવનો પુરુષકાર કારણ છે; અને તે કાર્યને અનુકૂળ દેવ વિદ્યમાન હોવા છતાં કાર્ય કરવામાં વ્યાપારવાળું નથી, પરંતુ જીવના પુરુષકારની અપેક્ષા રાખીને દૈવ કાર્ય પ્રત્યે કારણ છે અને નિશ્ચયનય “સાપેક્ષ અસમર્થ' માને છે, તેથી પુરુષકારની અપેક્ષા રાખીને કાર્ય પ્રત્યે કારણ એવા દૈવને કારણ સ્વીકારતો નથી, પરંતુ તે સ્થાનમાં જીવના પુરુષકારને જ કારણ સ્વીકારે છે.
વળી કોઈ જીવ મનુષ્ય થાય છે ત્યારે ઉત્પત્તિકાળમાં અનાભોગથી થતા તથા પ્રકારના વીર્યવ્યાપારથી સ્ત્રીનું શરીર બનાવે છે, તો વળી કોઈ અન્ય જીવ પુરુષનું શરીર બનાવે છે. તે સ્થાનમાં સ્ત્રી શરીરને અનુકૂળ કે પુરુષશરીરને અનુકૂળ દૈવ જ કુર્ઘદ્રુપત્નથી કારણ છે, તથા પ્રકારના વીર્યવ્યાપારરૂપ પુરુષકાર તો દેવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે. માટે તે સ્થાનમાં પુરુષકાર કારણ નથી, પરંતુ દેવ જ કારણ છે; કેમ કે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે' એ નિયમ પ્રમાણે અનાભોગથી થતો તે પ્રકારનો પુરુષકાર તો દેવની અપેક્ષા રાખીને સ્ત્રી કે પુરુષનું શરીર બનાવી શકે છે. તેથી સ્ત્રી કે પુરુષનું શરીર બનાવવા માટે પુરુષકાર અસમર્થ છે, અને દેવ કાર્ય કરવામાં વ્યાપૃત હોવાથી સમર્થ છે.
શ્લોકમાં ‘સવિ' શબ્દ છે ત્યાં 'પ'થી શું કહેવું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ટીકામાં કહે છે --
વસ્તુતઃ અર્થક્રિયાકારિત્વ જ વસ્તુનું લક્ષણ છે. તેથી જે વસ્તુ પોતાનું પ્રયોજન સાધવા માટે પ્રવૃત્ત હોય તે વસ્તુ પોતાના અર્થને અનુકૂળ=પોતાના પ્રયોજનને અનુકૂળ ક્રિયા કરનાર છે, અને તે વસ્તુ સદ્ છે; અને દૈવ અને પુરુષકારમાંથી દેવ કે પુરુષકાર જ્યારે પોતાનું કાર્ય કરતા હોય ત્યારે તે દેવ કે પુરુષકારમાં અર્થક્રિયાકારીપણું છે, પરંતુ દેવ કે પુરુષકારમાંથી જે પોતાનું કાર્ય કરતા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org