SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૩ પુરુષકારમાં, નિશ્ચયનયથી પ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. તેથી હવે દૈવ અને પુરુષકારમાં ક્યારે, કોણ કારણ છે ? અને કોણ કારણ નથી ? તે સ્પષ્ટ કરે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર એ બંને કારણોમાંથી જ્યારે જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત હોય ત્યારે તે કાર્ય પ્રત્યે તે કારણ છે, અન્ય કારણ નથી; કેમ કે જે કારણમાં કુર્વકૂપત્વ હોય છે કારણને જ કારણરૂપે સ્વીકારી શકાય, અને તેમાં નિશ્ચયનય યુક્તિ આપે છે કે “જે સાપેક્ષ હોય તે કાર્ય કરવામાં અસમર્થ છે એ પ્રકારનો ન્યાય છે. તેથી બંને કારણોમાંથી કાર્યને કરવામાં વ્યાપારવાળા કારણને જ કારણરૂપે સ્વીકારી શકાય, અન્યને કારણરૂપે સ્વીકારી શકાય નહીં. અહીં વિશેષ એ છે કે જીવ અભિવૃંગના પરિણામથી કર્મબંધ કરે છે, અને અભિધ્વગના ઉચ્છેદના પરિણામથી નિર્જરા કરે છે; આમ છતાં સંસારની બાહ્ય ક્રિયા દ્વારા જીવો અભિળંગના ભાવો કરે છે અને કર્મ બાંધે છે, અને સદનુષ્ઠાન દ્વારા અભિવૃંગના ઉચ્છેદનો ભાવ કરે છે અને નિર્જરા કરે છે. આ સ્થાનમાં નિશ્ચયનય કહે છે કે અભિળંગનો અધ્યવસાય કર્મબંધને અનુકૂળ કુર્ઘદ્રપત્વવાળો છે અને નિરભિમ્પંગભાવ નિર્જરાને અનુકૂળ કુવૈદ્રપત્વવાળો છે. તેથી અધ્યવસાયથી જ કર્મ બંધાય છે અને અધ્યવસાયથી જ કર્મની નિર્જરા થાય છે, અને બાહ્ય ક્રિયા તો સાક્ષાત્ કર્મબંધ કે નિર્જરા કરાવી શકતી નથી, કેમ કે સંસારની ક્રિયા પણ અભિમ્પંગની વૃદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ છે, અને ધર્મની ક્રિયા પણ અભિન્કંગની વૃદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ છે. આથી બાહ્ય ક્રિયા કર્મબંધ કે નિર્જરા પ્રત્યે અધ્યવસાયની અપેક્ષા રાખે છે; પરંતુ અધ્યવસાયની અપેક્ષા રાખ્યા વગર કર્મબંધ કે નિર્જરા કરાવી શકાતી નથી; અને “જે કારણ અન્યની અપેક્ષા રાખીને કાર્ય કરતું હોય તે કારણ કાર્ય કરવા અસમર્થ છે' એ ન્યાયથી બાહ્યક્રિયા કર્મબંધ કે નિર્જરા પ્રત્યે કારણ નથી, અને અધ્યવસાય બાહ્યક્રિયાની અપેક્ષા નહીં રાખનાર હોવાને કારણે કર્મબંધ કે નિર્જરારૂપ કાર્ય પ્રત્યે કારણ છે. તેથી નિશ્ચયનયથી જેમ કર્મબંધ કે નિર્જરા પ્રત્યે બાહ્યક્રિયા કારણ નથી, પરંતુ કાર્ય કરવામાં વ્યાપૃત એવો અધ્યવસાય જ કારણ છે; તેમ દૈવ અને પુરુષકાર એ બે કારણમાંથી જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત હોય તે કારણને જ તે કાર્ય પ્રત્યે કારણરૂપે નિશ્ચયનય સ્વીકારે છે, અન્ય કારણને વિદ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy