________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ ભાવાર્થ :સર્વકાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારનો સમાન કારણરૂપે સ્વીકાર :
સંસારમાં જે કંઈ કાર્ય થાય છે તે કાર્ય પ્રત્યે જેમ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે, તેમ યોગમાર્ગની પ્રાપ્તિમાં પણ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે. તેથી પ્રમાણદષ્ટિથી વિચારીએ તો કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણરૂપે સમાન છે, પરંતુ કોઈક સ્થાનમાં દેવ બળવાન હોય તો કોઈક સ્થાનમાં પુરુષકાર બળવાન હોય એમ બને, તોપણ બંને કારણના સમુદાયથી જ કાર્ય થાય છે; પરંતુ માત્ર દૈવથી કે માત્ર પુરુષકારથી કાર્ય થતું નથી. આ બંને કારણોની વિચારણા નિશ્ચયનયની અને વ્યવહારનયની દૃષ્ટિથી ગ્રંથકારશ્રી આગળ કરવાના છે. III અવતરણિકા :
દેવ અને પુરુષાર શું છે? તે સ્પષ્ટ કરે છે, અને નિશ્ચયનયની દૃષ્ટિથી દેવ અને પુરુષકારની વિચારણા બતાવે છે – શ્લોક :
दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसंज्ञको ।
निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ।।२।। અન્વયાર્થ :
રેવં પુરુષારણ્ય વાદ્યસંગો દેવ અને પુરુષકાર સ્વકર્મ-ઉદ્યમ સંજ્ઞાવાળા છે દેવ સ્વકર્મ સંજ્ઞાવાનું છે અને પુરુષકાર સ્વઉધમ સંજ્ઞાવાળો છે. નિશ્વન નિશ્ચયનયથી મોડનિરપેક્ષ અવ્યો નિરપેક્ષ એવા કયE=આ બંનેમાં–દેવ અને પુરુષકારમાં સિદ્ધિ =સિદ્ધિ છે–પ્રત્યેકતી કારણરૂપે સિદ્ધિ છે. પરા શ્લોકાર્ચ -
દેવ અને પુરુષકાર સ્વકર્મ-ઉધમ સંડાવાળા છે દેવ સ્વકર્મસંજ્ઞાવાળું છે, અને પુરુષકાર સ્વઉઘમસંજ્ઞાવાળો છે. નિશ્ચયથી નિશ્ચયનયથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org